પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઈન્દોરમાં દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું

Posted On: 30 MAR 2023 2:42PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈન્દોરમાં થયેલી દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. શ્રી મોદીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ સાથે વાત કરી છે અને પરિસ્થિતિ અંગે અપડેટ લીધી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું; "ઇન્દોરમાં દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. સીએમ @ChouhanShivraj જી સાથે વાત કરી અને પરિસ્થિતિ વિશે અપડેટ લીધું. રાજ્ય સરકાર બચાવ અને રાહત કાર્યને ઝડપી ગતિએ આગળ વધારી રહી છે. અસરગ્રસ્તો અને તેમના પરિવારો સાથે મારી પ્રાર્થના."

GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1912204) Visitor Counter : 133