પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ સીરિયામાં ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 06 FEB 2023 3:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સીરિયામાં ભૂકંપને કારણે થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું છે કે અમે સીરિયાના લોકોના દુઃખમાં સહભાગી છીએ અને આ મુશ્કેલ સમયમાં મદદ અને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ.

એક ટ્વીટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"વિનાશક ભૂકંપથી સીરિયાને પણ અસર થઈ છે તે જાણીને ખૂબ દુઃખ થયું છે. પીડિતોના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. અમે સીરિયન લોકોના દુઃખમાં સહભાગી છીએ અને આ મુશ્કેલ સમયમાં મદદ અને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છીએ."

YP/GP/JD


(रिलीज़ आईडी: 1896699) आगंतुक पटल : 238
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , Kannada , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Malayalam