માનવ સંસાધન વિકાસ મંત્રાલય

કલા ઉત્સવના વિજેતાઓ સહિત 200 વિદ્યાર્થીઓ અને શિક્ષકો આવતીકાલે નવી દિલ્હીમાં કર્તવ્ય પથ ખાતે વિશેષ અતિથિ તરીકે રાષ્ટ્રીય સ્તરની પ્રજાસત્તાક દિવસની પરેડના સાક્ષી બનશે


પ્રધાનમંત્રી શ્રીની પરિક્ષા પે ચર્ચામાં આ સહભાગીઓ 29મી જાન્યુઆરીએ બીટિંગ રીટ્રીટ સેરેમનીના પણ સાક્ષી બનશે

આપણા સમૃદ્ધ વારસાથી પરિચિત થવા માટે સહભાગીઓ રાજઘાટ, સદૈવ અટલ, પ્રધાનમંત્રી મ્યુઝિયમ, કર્તવ્ય પથ વગેરેની મુલાકાત લેશે

Posted On: 25 JAN 2023 6:05PM by PIB Ahmedabad

કલા ઉત્સવના વિજેતાઓ સહિત 200 વિદ્યાર્થીઓ અને પ્રધાનમંત્રીની પરિક્ષા પે ચર્ચામાં ભાગ લેનારા રાજ્યોના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ 26મી જાન્યુઆરી 2023ના રોજ પ્રજાસત્તાક દિવસની પરેડ અને 29મી જાન્યુઆરી 2023ના રોજ બીટીંગ રીટ્રીટના સાક્ષી બનશે. આ બાળકોને પ્રજાસત્તાક દિવસની પરેડ દરમિયાન કર્તવ્ય પથ ખાતે 18માં એન્ક્લોઝરમાં બેસાડવામાં આવશે.

દિલ્હીમાં પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને આપણા સમૃદ્ધ વારસાથી પરિચિત કરાવવા માટે રાજઘાટ, સદૈવ અટલ, પ્રધાનમંત્રી સંગ્રહાલય, કર્તવ્ય પથ વગેરે જેવા રાષ્ટ્રીય મહત્વના સ્થળો પર પણ લઈ જવામાં આવશે.

પરિક્ષા પે ચર્ચાની કલ્પના પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવી છે જેમાં વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો તેમની સાથે જીવન અને પરીક્ષાઓ સંબંધિત વિવિધ વિષયો પર વાર્તાલાપ કરે છે. પરિક્ષા પે ચર્ચાની આ વર્ષની આવૃત્તિ તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ, નવી દિલ્હી ખાતે 27મી જાન્યુઆરી 2023ના રોજ સવારે 11 વાગ્યે યોજાશે. કાર્યક્રમનું દૂરદર્શન અને અન્ય મુખ્ય ટીવી ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

આ વર્ષે લગભગ 38.80 લાખ નોંધણીઓ થઈ છે, જેમાંથી 16 લાખથી વધુ રાજ્ય બોર્ડના છે. PPC 2022 દરમિયાન થયેલા રજીસ્ટ્રેશન (15.73 લાખ) કરતાં આ બે ગણું વધારે છે. નોંધણી 155 દેશોમાંથી કરવામાં આવી છે.

દેશભરમાંથી 102 વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને કલા ઉત્સવ સ્પર્ધાના 80 વિજેતાઓ 27મી જાન્યુઆરી 2023ના રોજ યોજાનાર મુખ્ય કાર્યક્રમના ખાસ અતિથિ તરીકે સાક્ષી બનશે.

YP/GP/JD



(Release ID: 1893719) Visitor Counter : 235