પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ અગ્નિવીરોની પ્રથમ બેચને સંબોધિત કરી
પ્રધાનમંત્રીએ અગ્નિવીરોને પાથ-બ્રેકિંગ અગ્નિપથ યોજનાના પ્રણેતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રીએ હાઇલાઇટ કર્યું કે આ પરિવર્તનકારી નીતિ આપણા સશસ્ત્ર દળોને મજબૂત બનાવવામાં અને તેમને ભવિષ્ય માટે તૈયાર કરવામાં ગેમ ચેન્જર સાબિત થશે
આપણા સશસ્ત્ર દળોને આધુનિક બનાવવા તેમજ તેમને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો ચાલુ છે: PM
સંપર્ક વિનાના યુદ્ધના નવા મોરચાના પડકારોની ચર્ચા કરતા પ્રધાનમંત્રી કહે છે કે તકનીકી રીતે અદ્યતન સૈનિકો આપણા સશસ્ત્ર દળોમાં મુખ્ય ભૂમિકા ભજવશે
અગ્નિપથ યોજના કેવી રીતે મહિલાઓને સશક્ત બનાવશે તે અંગે પ્રધાનમંત્રી શ્રીએ ચર્ચા કરી; કહ્યું કે તેઓ ત્રણેય દળોમાં મહિલા અગ્નિવીરોને જોવા માટે ઉત્સુક છે
પ્રધાનમંત્રીએ અગ્નિવીરોને વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિઓ વિશે પણ વધુ શીખવાની તકનો ઉપયોગ કરવા કહ્યું
प्रविष्टि तिथि:
16 JAN 2023 12:37PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ત્રણેય સેવાઓના અગ્નિવીરોની પ્રથમ બેચને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન કર્યું, જેમણે તેમની મૂળભૂત તાલીમ શરૂ કરી છે.
પ્રધાનમંત્રી શ્રીએ અગ્નિવીરોને આ પાથબ્રેકિંગ અગ્નિપથ યોજનાના પ્રણેતા બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે આ પરિવર્તનકારી નીતિ આપણા સશસ્ત્ર દળોને મજબૂત કરવામાં અને તેમને ભવિષ્યમાં આવનારા પડકારો માટે તૈયાર કરવામાં ગેમ ચેન્જર સાબિત થશે. પ્રધાનમંત્રી શ્રીએ ખાતરી આપી હતી કે યુવા અગ્નિવીર સશસ્ત્ર દળોને વધુ યુવા અને ટેક સેવી બનાવશે.
અગ્નિવીરોની ક્ષમતાને બિરદાવતા તેમણે કહ્યું કે તેમની ભાવના સશસ્ત્ર દળોની બહાદુરીનું પ્રતિબિંબ પાડે છે જેણે હંમેશા રાષ્ટ્રના ધ્વજને ઊંચો રાખ્યો છે. તેમણે કહ્યું કે આ તક દ્વારા તેઓ જે અનુભવ મેળવશે તે જીવન માટે ગૌરવનો સ્ત્રોત બની રહેશે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે નવું ભારત નવા જોશથી ભરેલું છે, અને આપણા સશસ્ત્ર દળોને આધુનિક બનાવવા તેમજ તેમને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસો ચાલુ છે. તેમણે કહ્યું કે 21મી સદીમાં યુદ્ધ લડવાની રીત બદલાઈ રહી છે. કોન્ટેક્ટલેસ વોરફેરના નવા મોરચા અને સાયબર વોરફેરના પડકારો અંગે ચર્ચા કરતા તેમણે કહ્યું કે ટેકનોલોજીની રીતે અદ્યતન સૈનિકો આપણા સશસ્ત્ર દળોમાં મુખ્ય ભૂમિકા ભજવશે. તેમણે ઉમેર્યું કે વર્તમાન યુવા પેઢીમાં ખાસ કરીને આ ક્ષમતા છે અને તેથી અગ્નિવીર આવનારા સમયમાં આપણા સશસ્ત્ર દળોમાં અગ્રણી ભૂમિકા ભજવશે.
આ યોજના મહિલાઓને વધુ સશક્ત કેવી રીતે કરશે તે વિશે પણ પ્રધાનમંત્રીએ વાત કરી હતી. તેમણે કેવી રીતે મહિલા અગ્નિવીરોને નૌકાદળના દળોમાં ગૌરવ વધાર્યું છે તે અંગે ખુશી વ્યક્ત કરી અને કહ્યું કે તે ત્રણેય દળોમાં મહિલા અગ્નિવીરોને જોવા માટે ઉત્સુક છે. પ્રધાનમંત્રી શ્રીએ સિયાચીનમાં તૈનાત મહિલા સૈનિક અને આધુનિક ફાઇટર પ્લેન ચલાવતી મહિલાઓના ઉદાહરણો ટાંકીને એ પણ યાદ કર્યું કે કેવી રીતે મહિલાઓ વિવિધ મોરચે સશસ્ત્ર દળોનું નેતૃત્વ કરી રહી છે.
પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું કે વિવિધ પ્રદેશોમાં પોસ્ટ થવાથી તેમને વિવિધ અનુભવો મેળવવાની તક મળશે અને તેઓએ વિવિધ ભાષાઓ અને વિવિધ સંસ્કૃતિઓ અને જીવન જીવવાની રીતો વિશે પણ શીખવાનો પ્રયાસ કરવો જોઈએ. તેમણે કહ્યું કે ટીમ વર્ક અને નેતૃત્વ કૌશલ્યનું સન્માન તેમના વ્યક્તિત્વમાં એક નવું પરિમાણ ઉમેરશે. તેમણે અગ્નિવીરોને તેમની પસંદગીના ક્ષેત્રોમાં તેમની કુશળતાને બહેતર બનાવવા માટે કામ કરવાની સાથે સાથે નવી વસ્તુઓ શીખવા માટે ઉત્સુક રહેવા માટે પ્રોત્સાહન આપ્યું.
યુવાનો અને અગ્નિવીરોની ક્ષમતાને બિરદાવતા પ્રધાનમંત્રી શ્રીએ એમ કહીને સમાપન કર્યું કે તેઓ જ 21મી સદીમાં રાષ્ટ્રને નેતૃત્વ પ્રદાન કરવા જઈ રહ્યા છે.
YP/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1891562)
आगंतुक पटल : 350
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam