પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી સિદ્ધેશ્વર સ્વામીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 02 JAN 2023 11:59PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી સિદ્ધેશ્વર સ્વામીજીના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે પરમપૂજ્ય શ્રી સિદ્ધેશ્વર સ્વામીજીને સમાજ પ્રત્યેની તેમની ઉત્કૃષ્ટ સેવા માટે યાદ કરવામાં આવશે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"પરમપૂજ્ય શ્રી સિદ્ધેશ્વર સ્વામીજીને સમાજ પ્રત્યેની તેમની ઉત્કૃષ્ટ સેવા માટે યાદ કરવામાં આવશે. તેમણે અન્યોના ભલા માટે અથાક કામ કર્યું અને તેમના વિદ્વતાપૂર્ણ ઉત્સાહ માટે પણ તેઓ આદર પામ્યા. આ દુઃખની ઘડીમાં, મારા વિચારો તેમના અસંખ્ય ભક્તો સાથે છે. ઓમ શાંતિ. "

 

YP/GP/NP



(Release ID: 1888461) Visitor Counter : 160