પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીની જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત
प्रविष्टि तिथि:
27 SEP 2022 10:13AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી H.E. શ્રી ફ્યુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.. પ્રધાનમંત્રીએ ભૂતપૂર્વ પ્રધીનમંત્રી શિન્ઝો આબેના અવસાન બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારત-જાપાન ભાગીદારીને મજબૂત કરવામાં તેમજ મુક્ત, ખુલ્લા અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિઝનની કલ્પનામાં સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી આબેના યોગદાનની નોંધ લીધી હતી.
બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા પર વિચારનું ફળદાયી આદાન પ્રદાન કર્યું હતું. તેઓએ સંખ્યાબંધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરી. નેતાઓએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત કરવા અને પ્રદેશમાં અને વિવિધ આંતરરાષ્ટ્રીય જૂથો અને સંસ્થાઓમાં સાથે મળીને કામ કરવા તરફ તેમની પ્રતિબદ્ધતાનું નવીકરણ કર્યું.
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1862426)
आगंतुक पटल : 319
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam