પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રીએ પૂંચમાં અકસ્માતને કારણે થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો


પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત

Posted On: 14 SEP 2022 4:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂંચમાં એક માર્ગ અકસ્માતમાં થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (PMNRF)માંથી એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વટ કર્યું;

"પૂંચમાં થયેલા અકસ્માતમાં જાનહાનિ દુઃખદ છે. મારા વિચારો એ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. ઘાયલો ઝડપથી સાજા થવાની કામના કરું છું. PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા આપવામાં આવશે અને ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશેઃ પીએમ"

YP/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1859225) Visitor Counter : 151