પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પીએમએ બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો

Posted On: 25 JUL 2022 1:38PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાની પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી અને કહ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
“બારાબંકીમાં પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર થયેલો અકસ્માત અત્યંત દુઃખદ છે. આમાં, હું તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે જ હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર શક્ય તમામ મદદ કરવામાં વ્યસ્ત છે.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1844582)