કાયદો અને ન્યાય મંત્રાલય

કેન્દ્રીય મંત્રીમંડળે માલદીવના ન્યાયિક સેવા આયોગ વચ્ચે ન્યાયિક સહકારના ક્ષેત્રમાં એમઓયુ પર હસ્તાક્ષરને મંજૂરી આપી

Posted On: 20 JUL 2022 2:32PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત અને માલદીવ પ્રજાસત્તાકના ન્યાયિક સેવા આયોગ વચ્ચે ન્યાયિક સહકારના ક્ષેત્રમાં સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષરને મંજૂરી આપી છે. ભારત અને અન્ય દેશો વચ્ચે ન્યાયિક સહયોગના ક્ષેત્રમાં આ આઠમો એમઓયુ છે.

આ એમઓયુ કોર્ટ ડિજિટાઇઝેશન માટે ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના લાભો મેળવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે અને બંને દેશોમાં આઇટી કંપનીઓ અને સ્ટાર્ટ-અપ્સ માટે સંભવિત વૃદ્ધિ ક્ષેત્ર બની શકે છે.

તાજેતરના વર્ષોમાં, ભારત અને માલદીવ વચ્ચેના ગાઢ સંબંધો બહુ-પરિમાણીય રીતે ગાઢ બન્યા છે. કાયદા અને ન્યાયના ક્ષેત્રમાં સહકાર અંગેના આ કરાર પર હસ્તાક્ષર થવાથી બંને દેશો વચ્ચેના સારા સંબંધોને વધુ વેગ મળશે. તે બંને દેશો વચ્ચે ન્યાયિક અને અન્ય કાનૂની ક્ષેત્રોમાં જ્ઞાન અને ટેકનોલોજીના આદાન-પ્રદાનને સક્ષમ બનાવશે એટલું જ નહીં પરંતુ "નેબરહુડ ફર્સ્ટ" નીતિના ઉદ્દેશ્યોને પણ આગળ વધારશે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1843018) Visitor Counter : 167