પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રીએ રામપુરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો

Posted On: 17 JUL 2022 1:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામપુરમાં માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યું છે.
 
પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું:
"ઉત્તર પ્રદેશના રામપુરમાં થયેલ માર્ગ અકસ્માત ખૂબ જ દુ:ખદ છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરીને, હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખમાં સ્થાનિક તંત્ર ઘટનાસ્થળે શક્ય તમામ મદદ માટે કાર્યરત છે.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1842175) Visitor Counter : 162