પ્રધાનમંત્રીનું કાર્યાલય

મુંબઈમાં ઈમારત ધરાશાયી થતા લોકોનાં મૃત્યુથી પીએમ દુઃખી


PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત

Posted On: 28 JUN 2022 9:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઈમાં મકાન ધરાશાયી થવાથી ભોગ બનેલા લોકો માટે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની પણ જાહેરાત કરી છે.

પીએમઓએ ટ્વીટ કરીને કહ્યું:

"મુંબઈમાં મકાન ધરાશાયી થવાથી દુઃખ થયું છે. આ દુઃખદ ઘડીમાં, મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે અને ઘાયલો માટે પ્રાર્થના છે. PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા મૃતકોના નજીકના સંબંધીઓને આપવામાં આવશે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશેઃ પીએમ મોદી"

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1837777) Visitor Counter : 124