પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પીલીભીત યુપીમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો પર શોક વ્યક્ત કર્યો

Posted On: 23 JUN 2022 4:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીલીભીતમાં માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની પણ શુભેચ્છા પાઠવી હતી.

પીએમઓએ ટ્વિટ કરીને કહ્યું: "ઉત્તર પ્રદેશના પીલીભીતમાં થયેલ માર્ગ અકસ્માત હ્રદયદ્રાવક છે. આમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. તેમજ તમામ ઈજાગ્રસ્તોને ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું: PM @narendramodi "

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1836515) Visitor Counter : 172