ગૃહ મંત્રાલય

સુશ્રી લતા મંગેશકરના નિધન પર સન્માન સ્વરૂપે 6 ફેબ્રુઆરીથી બે દિવસનો રાજકીય શોક

Posted On: 06 FEB 2022 11:15AM by PIB Ahmedabad

ભારત સરકાર આજે અત્યંત દુઃખ સાથે સુશ્રી લતા મંગેશકરના નિધનની ઘોષણા કરી રહી છે. દિવંગત મહાન ગાયિકાના સન્માનમાં, ભારત સરકારે નિર્ણય લીધો છે કે આજથી સમગ્ર ભારતમાં બે દિવસનો રાજકીય શોક રહેશે.

રાષ્ટ્રીય ધ્વજ 06.02.2022થી 07.02.2022 સુધી સમગ્ર ભારતમાં અડધી કાઠીએ ઝૂકેલો રહેશે અને કોઈપણ અધિકૃત મનોરંજન આયોજન નહીં થાય.

એ પણ નિર્ણય લેવાયો છે કે સુશ્રી લતા મંગેશકરના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1795960) Visitor Counter : 291