સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 111.40 કરોડને પાર


છેલ્લા ચોવીસ કલાકમાં 58.42 લાખ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 98.26%, માર્ચ 2020થી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 11,850 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (1,36,308), 274 દિવસમાં સૌથી ઓછા

સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.05%) 50 દિવસથી 2% કરતા ઓછો

Posted On: 13 NOV 2021 9:36AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 58,42,530 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 111.40 કરોડ (1,11,40,48,134)ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, 1,14,01,023 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

 

HCWs

પ્રથમ ડોઝ

1,03,80,192

બીજો ડોઝ

93,17,204

 

FLWs

પ્રથમ ડોઝ

1,83,73,803

બીજો ડોઝ

1,61,44,615

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

43,05,85,042

બીજો ડોઝ

16,59,93,869

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

17,78,11,757

બીજો ડોઝ

10,35,94,850

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

11,14,37,662

બીજો ડોઝ

7,04,09,140

કુલ

1,11,40,48,134

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,38,26,483 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 12,403 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.26% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0013GVE.jpg

139 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 11,850 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002BJRX.jpg

સક્રિય કેસનું ભારણ હાલમાં 1,36,308 છે, 274 દિવસમાં સૌથી નીચું છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.40% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003NYPJ.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,66,589 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 62.23 કરોડથી વધારે (62,23,33,939) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.05% છે જે છેલ્લા 50 દિવસથી 2%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.94% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 40 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 75 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004HITD.jpg

 

SD/GP/NP


(Release ID: 1771399) Visitor Counter : 239