પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના ચકરાતામાં માર્ગ દુર્ઘટનામાં લોકોનાં મોત અંગે દુઃખ વ્યક્ત કર્યુ



ભોગ બનનારા લોકોને PMNRFમાંથી મરણોપરાંત આર્થિક સહાય મંજૂર કરી

Posted On: 31 OCT 2021 3:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના ચકરાતામાં એક માર્ગ દુર્ઘટનામાં લોકોનાં મોત અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યુ;

“ઉત્તરાખંડના ચકરાતામાં બનેલી માર્ગ દુર્ઘટના અત્યંત દુઃખદ છે. સરકાર અને સ્થાનિક પ્રશાસન રાહત અને બચાવકાર્યમાં વ્યસ્ત છે. આ દુર્ઘટનામાં જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે, તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદનાઓ. આ સાથે જ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય એવી કામના કરૂં છું. ઉત્તરાખંડના ચકરાતમાં થયેલા કરૂણ માર્ગ અકસ્માતમાં જેમણે પોતાના જીવ ગુમાવ્યા છે એ દરેકના પરિજનોને પીએમએનઆરએફમાંથી રૂ. 2 લાખની આર્થિક સહાય આપવામાં આવશે. જ્યારે દરેક ઘાયલને રૂ. 50000 આપવામાં આવશેઃ PM @narendramodi” PM Modi”

SD/GP/JD



(Release ID: 1768155) Visitor Counter : 180