સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 100.59 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા


છેલ્લા 24 કલાકમાં 61 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા

પુનઃ પ્રાપ્તિ દર હાલમાં 98.16%છે; માર્ચ 2020 પછી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 15,786 નવા કેસ નોંધાયા

ભારતનો સક્રિય કેસલોડ (1,75,745) 232 દિવસમાં સૌથી ઓછો

છેલ્લા 119 દિવસો માટે સાપ્તાહિક સકારાત્મકતા દર (1.31%) 3% કરતા ઓછો

Posted On: 22 OCT 2021 10:04AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 61,27,277 રસી ડોઝ આપવા સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણનો દાયરો આજે સવારે 7 વાગ્યા સુધીકામચલાઉ અહેવાલ મુજબ 100 કરોડના આંકને વટાવીને 100.59 કરોડ (1,00,59,04,580) સુધી પહોંચી ગયો છે. આ 99,59,884 સત્રો દ્વારા પ્રાપ્ત થયો છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,77,821

બીજો ડોઝ

91,18,567

FLWs

પ્રથમ ડોઝ

1,83,68,689

બીજો ડોઝ

1,56,36,899

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

40,22,21,442

બીજો ડોઝ

11,99,53,006

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

17,06,81,028

બીજો ડોઝ

8,90,38,061

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

10,74,03,593

બીજો ડોઝ

6,27,71,243

કુલ

1,00,59,04,580

છેલ્લા 24 કલાકમાં 18,641 દર્દીઓ સાજા થતાં સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) વધીને 3,35,14,449 થઈ છે.

પરિણામે, ભારતનો રિકવરી રેટ 98.16%છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001AC6L.jpg

કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયાસોથી દૈનિક 50,000 ઓછા નવા કેસોનો ટ્રેન્ડ ચાલુ રહ્યો છે જે હવે સતત 117 દિવસોમાં ઓછો નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં 15,786 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002VHM6.jpg એક્ટિવ કેસલોડ 2 લાખની નીચે રહ્યો છે અને હાલમાં 1,75,745 પર છે જે 232 દિવસમાં સૌથી ઓછો છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.51% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003M4RP.jpg

દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વિસ્તૃત કરવાનું ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં કુલ

13,24,263 ટેસ્ટ હાથ ધરવામાં આવ્યા છે. ભારતે અત્યાર સુધીમાં 59.70 કરોડ (59,70,66,481) સંચિત પરીક્ષણો કર્યા છે.

જ્યારે દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વધારવામાં આવી છે, 1.31% પર સાપ્તાહિક સકારાત્મકતા દર છેલ્લા 119 દિવસોથી 3% કરતા ઓછો રહ્યો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.19%નોંધાયો છે. દૈનિક સકારાત્મકતા દર છેલ્લા 53 દિવસોથી 3% ની નીચે અને સતત 136 દિવસો માટે 5% ની નીચે રહ્યો છે..

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004YD7L.jpg

SD/GP/NP

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1765674) Visitor Counter : 222