સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 99.12 કરોડને પાર


સાજા થવાનો દર હાલમાં 98.15%, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 14,623 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (1,78,098) 229 દિવસમાં સૌથી ઓછું

સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.34%) 117 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 20 OCT 2021 10:00AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 41,36,142 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 99.12 કરોડ (99,12,82,283) ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, 97,99,506 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.  

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

HCWs

પ્રથમ ડોઝ

1,03,76,101

બીજો ડોઝ

90,98,715

FLWs

પ્રથમ ડોઝ

1,83,62,683

બીજો ડોઝ

1,55,81,720

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

39,73,05,720

બીજો ડોઝ

11,57,29,771

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

16,88,22,731

બીજો ડોઝ

8,76,73,217

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

10,62,77,396

બીજો ડોઝ

6,20,54,229

કુલ

99,12,82,283

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,34,78,247 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 19,446 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.15% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0011APM.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 14,623 નવા કેસ નોંધાયા છે. 231 દિવસમાં દૈનિક નવા કેસ સૌથી ઓછા નોંધાયા છે.

115 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002YE9Y.jpg

સક્રિય કેસનું ભારણ 2 લાખથી ઓછું થઈ ગયું છે અને હાલમાં 1,78,098 છે, જે હવે માર્ચ 2020 પછી સૌથી ઓછું છે, સક્રિય કેસ કુલ કેસનાં 0.52% થયા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003IRDG.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,23,702 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 59.44 કરોડથી વધારે (59,44,29,890) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.34% છે જે છેલ્લા 117 દિવસથી 3%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.10% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 51 દિવસથી 3%થી ઓછો છે અને સળંગ 134 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004A7FO.jpg

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1765033) Visitor Counter : 219