રાષ્ટ્રપતિ સચિવાલય

મિલાદ-ઉન-નબીની પૂર્વસંધ્યાએ રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

Posted On: 18 OCT 2021 5:24PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે મિલાદ-ઉન-નબીની પૂર્વ સંધ્યાએ પોતાના સંદેશમાં કહ્યું છે:-

પયગંબર મોહમ્મદના જન્મદિવસના શુભ પ્રસંગે જે ઈદ-એ-મિલાદ અથવા મિલાદ-ઉન-નબી તરીકે ઉજવવામાં આવે છે, હું મારા બધા સાથી નાગરિકો, ખાસ કરીને અમારા મુસ્લિમ ભાઈઓ અને બહેનોને શુભેચ્છા પાઠવું છું.

પયગંબર મોહમ્મદનું જીવન બંધુત્વ, કરુણા અને સ્નેહનું ઉદાહરણ છે. તેઓ હંમેશા માનવતા માટે પ્રેરણા સ્ત્રોત રહેશે.

ચાલો આપણે તેમના જીવન અને આદર્શોમાંથી પ્રેરણા લઈએ અને સમાજની સમૃદ્ધિ અને દેશમાં શાંતિ અને સુમેળ વધારવા માટે કામ કરીએ.”

રાષ્ટ્રપતિનો સંદેશ હિન્દીમાં જોવા માટે કૃપા કરીને અહીં ક્લિક કરો.

 

SD/GP/BT



(Release ID: 1764718) Visitor Counter : 232