સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 92.63 કરોડના સીમાચિન્હને પાર


છેલ્લા 24 કલાકમાં 43.09 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે

સાજા થવાનો દર હાલમાં 97.95%, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 22,431 નવા કેસ

ભારતમાં સક્રિય કેસનું ભારણ (2,44,198), કુલ કેસનાં 0.72%

સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.68%) 104 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 07 OCT 2021 9:36AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 43,09,525 વેક્સિન ડોઝના વહીવટ સાથે, દેશનું કોવિડ-19 રસીકરણ કવરેજ આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો અનુસાર 92.63 કરોડ (92,63,68,608) ના સંચિત આંકડાને વટાવી ગયું છે. આ 90,14,182 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

HCWs

પ્રથમ ડોઝ

      1,03,74,457

બીજો ડોઝ

89,67,785

FLWs

પ્રથમ ડોઝ

1,83,56,797

બીજો ડોઝ

1,51,98,102

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

37,46,12,592

બીજો ડોઝ

9,41,31,072

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

16,30,05,166

બીજો ડોઝ

8,04,01,016

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

10,32,00,268

બીજો ડોઝ

5,81,21,353

કુલ

92,63,68,608

 

કેન્દ્ર સરકાર ઝડપ વધારવા અને સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,32,00,258 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 24,602 દર્દીઓ સ્વસ્થ થયા છે.

અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.95% સુધી પહોંચી ગયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002LDB2.jpg

102 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં 22,431 નવા કેસ નોંધાયા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003G9UL.jpg

સક્રિય કેસનું ભારણ આજે 2,44,198 છે. સક્રિય કેસ કુલ કેસનાં 0.72% છે. 204 દિવસમાં સૌથી ઓછું નોંધાયું.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004ZV43.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,31,819 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ 57.86 કરોડથી વધારે (57,86,68,484) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

જ્યારે દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વધારવામાં આવી છે, 1.68% પર સાપ્તાહિક સકારાત્મકતા દર છેલ્લા 104 દિવસથી 3% કરતા ઓછો રહે છે. દૈનિક સકારાત્મકતા દર 1.57%નોંધાયો છે. છેલ્લા 38 દિવસો માટે દૈનિક સકારાત્મકતા દર 3% થી નીચે અને સતત 121 દિવસો માટે 5% ની નીચે રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005PLMI.jpg

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1761636) Visitor Counter : 221