સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 29 SEP 2021 9:25AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 87.66 કરોડ લોકોને રસી આપવામાં આવી

ભારતમાં 20,000 કરતા ઓછા દૈનિક નવા કેસ; છેલ્લા 24 કલાકમાં 18,870 નવા કેસ

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.84% છે માર્ચ 2020 પછી સૌથી ઓછું

ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,82,520 થયું, 194 દિવસમાં સૌથી ઓછું

સાજા થવાનો દર હાલમાં 97.83% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 28,178 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,29,86,180 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 96 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.82% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.25% પહોંચ્યો, છેલ્લા 30 દિવસથી 3% કરતા ઓછો

કુલ 56.74 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1759141) Visitor Counter : 210