ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

ઉપરાષ્ટ્રપતિએ જન્માષ્ટમી નિમિત્તે લોકોને શુભેચ્છાઓ પાઠવી

Posted On: 30 AUG 2021 8:05AM by PIB Ahmedabad

ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુએ જન્માષ્ટમીના શુભ અવસર નિમિત્તે રાષ્ટ્રને તેમની શુભેચ્છાઓ પાઠવી છે.

તેમના સંદેશનું સંપૂર્ણ લખાણ નીચે મુજબ છે:

જન્માષ્ટમીના શુભ પ્રસંગે હું મારા દેશવાસીઓને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.

જન્માષ્ટમી ભગવાન શ્રીકૃષ્ણ, જે ભગવાન વિષ્ણુના આઠમા અવતારના રૂપમાં પૂજ્ય છે, ના જન્મદિવસ નિમિત્તે ઉજવવામાં આવે છે. શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન કૃષ્ણનો નિ:સ્વાર્થ નિષ્ઠાથી, વિગતવાર પરિણામ વિના, નિષ્ઠાપૂર્વક કામ કરવાનો શાશ્વત સંદેશ, સમગ્ર માનવતા માટે પ્રેરણાદાયી રહ્યો છે.

આ પવિત્ર દિવસે આપણે સૌ સંપૂર્ણ નિષ્ઠા સાથે આપણી ફરજો નિભાવવાનો અને સત્યના માર્ગે ચાલવાનો સંકલ્પ લઈએ.

જન્માષ્ટમી સામાન્ય રીતે દેશભરમાં પરંપરાગત ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે, આ વર્ષે વૈશ્વિક રોગચાળાને ધ્યાનમાં રાખીને, આપણે આ તહેવારને પરંપરાગત શ્રદ્ધા અને સાદગી સાથે ઉજવીએ અને કોવિડને લગતી તમામ સાવચેતીનું સખત પાલન કરીએ. જન્માષ્ટમીનો આ તહેવાર આપણા દેશમાં શાંતિ, સંવાદિતા અને સમૃદ્ધિ લાવે."

 

SD/GP/BT



(Release ID: 1750410) Visitor Counter : 217