સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 61 કરોડને પાર


છેલ્લા 24 કલાકમાં 79 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા

સાજા થવાનો દર હાલમાં 97.60%

છેલ્લા 24 કલાકમાં 44,658 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,44,899), કુલ કેસનાં 1.06%

દૈનિક પોઝિટિવિટી દર (2.45%) 32 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 27 AUG 2021 10:00AM by PIB Ahmedabad

ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ ગઈકાલે 61 કરોડ સીમાચિહ્ન પાર કરી ગયું. આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ, સંયુક્ત રીતે, 61.22 (61,22,08,542) રસી ડોઝ 66,60,983 સત્રો દ્વારા સંચાલિત કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 79,48,439 રસી ડોઝ આપવામાં આવી હતી.

આજે સવારે 8 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

HCWs

પ્રથમ ડોઝ

1,03,56,368

બીજો ડોઝ

82,94,906

FLWs

પ્રથમ ડોઝ

1,83,14,369

બીજો ડોઝ

1,28,61,222

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

23,25,61,664

બીજો ડોઝ

2,34,57,529

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

12,65,76,574

બીજો ડોઝ

5,13,99,879

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

8,50,29,798

બીજો ડોઝ

4,33,56,233

કુલ

61,22,08,542

કેન્દ્ર સરકાર ઝડપ વધારવા અને સમગ્ર દેશમાં COVID-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,18,21,428 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 32,988 દર્દીઓ સ્વસ્થ થયા છે.

અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.60% સુધી પહોંચી ગયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0010ML1.jpg

61 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 44,658 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002DRXP.jpg

સક્રિય કેસનું ભારણ આજે 3,44,899 છે. સક્રિય કેસ કુલ કેસનાં 1% થી પણ ઓછા થયા, હાલમાં 1.06% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0033BVS.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,24,931 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 51.49 કરોડથી વધારે (51,49,54,309) પરીક્ષણો કરવામાં આવ્યા છે.   

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.10% છે જે છેલ્લા 63 દિવસથી 3% થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.45% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 32 દિવસથી 3% થી ઓછો અને 81 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0048QPR.jpg

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1749476) Visitor Counter : 204