સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 51.90 કરોડને પાર


છેલ્લા 24 કલાકમાં 41 લાખથી વધુ રસી ડોઝ આપવામાં આવ્યા

ભારતે સૌથી વધુ સાજા થવાનો દર 97.45% હાંસલ કર્યો

છેલ્લા 24 કલાકમાં 38,353 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,86,351) 140 દિવસમાં સૌથી ઓછુ

હાલમાં સક્રિય કેસ કુલ કેસના 1.21% છે

દૈનિક પોઝિટિવિટી દર (2.16%) 16 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 11 AUG 2021 10:24AM by PIB Ahmedabad

ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 51.90 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 59,57,616 સત્રોનું આયોજન કરીને રસીના 51,90,80,524 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 41,38,646 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,38,727

બીજો ડોઝ

1,03,38,727

FLWs

પ્રથમ ડોઝ

1,82,42,071

બીજો ડોઝ

1,18,74,095

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

18,23,88,445

બીજો ડોઝ

1,29,63,932

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

11,34,11,880

બીજો ડોઝ

4,35,83,965

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

7,92,14,965

બીજો ડોઝ

3,90,45,153

કુલ

51,90,80,524

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.45% સુધી પહોંચી ગયો છે. આ રોગચાળો શરૂ થયા બાદ ભારત દ્વારા પ્રાપ્ત થયેલ સૌથી વધુ રિકવરી રેટ છે.

રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,12,20,981 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં  40,013 દર્દીઓ સ્વસ્થ થયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZYQT.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 38,353 નવા કેસ નોંધાયા છે.

પંદર દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0022KUE.jpg

સક્રિય કેસનું ભારણ આજે 3,86,351 છે જે 140 દિવસમાં સૌથી ઓછુ છે અને સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 1.21% છે જે માર્ચ 2020 બાદ સૌથી ઓછુ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003KNOV.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,77,962 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 48.50 કરોડથી વધારે (48,50,56,507) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.34% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.16% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 16 દિવસથી 3% થી ઓછો અને 65 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004TDJD.jpg

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1744680) Visitor Counter : 277