ગૃહ મંત્રાલય

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી


તમારી અદમ્ય હિંમત, બહાદુરી અને બલિદાનને લીધે કારગિલની દુર્ગમ અને પડકારજનક ઉંચાઈઓ પર ફરી ગર્વથી ત્રિરંગાને લહેરાવવાનું શક્ય બન્યું

રાષ્ટ્રની અખંડિતતાને અખંડ રાખવા માટે એક કૃતજ્ઞ રાષ્ટ્ર તમારા સમર્પણને નમન કરે છે

Posted On: 26 JUL 2021 3:31PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કારગિલ વિજય દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. કારગિલ વિજય દિવસ નિમિત્તે આ યુદ્ધના તમામ બહાદુર સૈનિકોને યાદ કરતાં શ્રી શાહે કહ્યું કે "તમારી અદમ્ય હિંમત, બહાદુરી અને બલિદાનને લીધે કારગિલની દુર્ગમ અને પડકારજનક ઉંચાઈઓ પર ફરી ગર્વથી ત્રિરંગાને લહેરાવવાનું શક્ય બન્યું." તેમણે વધુમાં કહ્યું કે "રાષ્ટ્રની અખંડિતતાને અખંડ રાખવા માટે એક કૃતજ્ઞ રાષ્ટ્ર તમારા સમર્પણને નમન કરે છે."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1739070) Visitor Counter : 228