સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ 43 કરોડના સિમાચિહ્નને પાર


સાજા થવાનો દર વધીને 97.36% થયો

છેલ્લા 24 કલાકમાં 39,742 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,08,212; કુલ કેસના 1.30%

દૈનિક પોઝિટિવિટી દર (2.31%) સળંગ 34 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 25 JUL 2021 10:26AM by PIB Ahmedabad

ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 43 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 52,72,431 સત્રોનું આયોજન કરીને રસીના 43,31,50,864 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 51,18,210 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

 

HCWs

પ્રથમ ડોઝ

1,02,86,512

દ્વિતિય ડોઝ

76,98,343

FLWs

પ્રથમ ડોઝ

1,78,52,440

દ્વિતિય ડોઝ

1,08,19,457

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

13,81,09,509

2nd Dose

60,62,371

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

10,07,21,803

દ્વિતિય ડોઝ

3,42,99,610

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

7,34,17,431

દ્વિતિય ડોઝ

3,38,83,388

કુલ

43,31,50,864

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,05,43,138 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 39,972 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 97.36% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001FFYR.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 39,742 નવા કેસ નોંધાયા છે.

28 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0025589.jpg

સક્રિય કેસના ભારણમાં પણ ભારતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં સક્રિય કેસનું ભારણ આજે 4,08,212 છે અને સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 1.30% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003TL6G.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 17,18,756 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 45.62 કરોડથી વધારે (45,62,89,567) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.31% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.24% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 34 દિવસથી 3%થી ઓછો છે અને 48 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004CIDB.jpg

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…

(Release ID: 1738795) Visitor Counter : 295