પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારત રત્ન ડો. ભીમરાવ સ્મારક અને સાંસ્કૃતિક કેન્દ્ર માટે ઉત્તર પ્રદેશ સરકારની પ્રશંસા કરી


આ કેન્દ્ર ડો. બાબાસાહેબ આંબેડકરના આદર્શોને લોકપ્રિય બનાવશેઃ પ્રધાનમંત્રી

प्रविष्टि तिथि: 29 JUN 2021 7:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આદરણીય ડો. બાબાસાહેબ આંબેડકરના આદર્શોને યુવાનો વચ્ચે લોકપ્રિય બનાવવામાં અગ્રણી ભૂમિકા નિભાવવા માટે ઉત્તર પ્રદેશ સરકારની પ્રશંસા કરી છે.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “ભારત રત્ન ડો. ભીમરાવ સ્મારક અને સાંસ્કૃતિક કેન્દ્ર, લખનઉ યુવાનો વચ્ચે આદરણીય ડો. બાબાસાહેબ આંબેડકરના આદર્શોને વધુ લોકપ્રિય બનાવશે.

“હું ઉત્તર પ્રદેશ સરકારની આ પ્રયાસમાં અગ્રણી ભૂમિકા ભજવવા માટે પ્રશંસા કરૂં છું.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1731271) आगंतुक पटल : 349
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam