સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1.20 લાખ નવા કેસ નોંધાયા, લગભગ બે મહિનામાં દૈનિક ધોરણે સૌથી ઓછા કેસ


સળંગ 9 દિવસથી દૈનિક નવા કેસોનો આંકડો 2 લાખથી નીચે જળવાઇ રહ્યો

15,55,248 સક્રિય કેસો સાથે સતત પાંચમા દિવસે પણ સક્રિય કેસોનું ભારણ 20 લાખ કરતાં ઓછું રહ્યું

સતત 23મા દિવસે દૈનિક ધોરણે સાજા થનારાઓની સંખ્યા નવા દર્દીઓ કરતાં વધારે રહી

સાજા થવાનો દર વધીને 93.38% પર પહોંચ્યો

દૈનિક પોઝિટીવિટી દર વધુ ઘટીને 5.78% થયો, સળંગ 12 દિવસથી 10% કરતાં ઓછા પોઝિટીવિટી દરનું વલણ જળવાઇ રહ્યું છે

છેલ્લા 24 કલાકમાં રસીના 36.5 લાખ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા

Posted On: 05 JUN 2021 10:16AM by PIB Ahmedabad

ભારતમાં છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા 1,20,529 કેસ નોંધાયા છે. લગભગ બે મહિનામાં (છેલ્લા 58 દિવસ) દૈનિક ધોરણે નવા કેસોનો આ સૌથી ઓછો આંકડો છે. દેશમાં સતત 9 દિવસથી દૈનિક કેસોનો આંકડો 2 લાખ કરતાં ઓછો નોંધાયો છે. કેન્દ્ર અને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવેલા સહયોગપૂર્ણ પ્રયાસોનું આ પરિણામ છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WWSV.jpg

ભારતમાં સક્રિય કેસોના ભારણમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશમાં આજે સક્રિય કેસોનું ભારણ ઘટીને 15,55,248 નોંધાયું હતું. સતત પાંચમા દિવસે સક્રિય કેસોનો આંકડો 20 લાખ કરતાં નીચે જળવાઇ રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય કેસોના ભારણમાં 80,745 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો નોંધાયો છે અને દેશમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી હવે માત્ર 5.42% સક્રિય કેસો રહ્યાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002E013.jpg

 

સતત 23મા દિવસે દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે જળવાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 1,97,894 દર્દી સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં નવા નોંધાયેલા કેસો કરતાં નવા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 77,365 વધારે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003FEIG.jpg

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,67,95,549 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 1,97,894 દર્દી સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 93.38% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,84,421 પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હોવાથી ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 36.1 કરોડથી વધારે (36,11,74,142) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 6.89% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર ઘટ્યો છે અને આજે 5.78% નોંધાયો છે. સળંગ 12 દિવસથી આ દર 10%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004IJ4C.jpg

 

સમગ્ર દેશમાં હાથ ધરવામાં આવેલા કોવિડ-19 રસીકરણ અભિયાનના ભાગરૂપે આજદિન સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીના આપવામાં આવેલા કુલ ડોઝનો આંકડો આજે 22.78 કરોડથી આગળ નીકળી ગયો છે. છેલ્લા 24 કલાકમાં રસીના 36,50,080 ડોઝ આપવામાં આવ્યા છે.

આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 32,00,677 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 22,78,60,317 ડોઝ આપવામાં આવ્યા છે.

 

આમાં સામેલ છે:

HCWs

પ્રથમ ડોઝ

99,45,863

બીજો ડોઝ

68,41,480

FLWs

પ્રથમ ડોઝ

1,60,57,349

બીજો ડોઝ

86,38,798

18 થી 44 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

2,59,69,460

બીજો ડોઝ

1,19,137

45 થી 60 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

6,97,94,194

બીજો ડોઝ

1,11,93,705

60 વર્ષથી વધારે ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

6,01,85,472

બીજો ડોઝ

1,91,14,859

કુલ

22,78,60,317

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1724660) Visitor Counter : 207