પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગીતા પ્રેસના પ્રમુખ રાધેશ્યામ ખેમકાના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ

Posted On: 04 APR 2021 2:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગીતા પ્રેસના પ્રમુખ રાધેશ્યામ ખેમકાજીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “ગીતા પ્રેસના પ્રમુખ અને સનાતન સાહિત્યને જન-જન સુધી પહોંચાડનારા રાધેશ્યામ ખેમકાજીના નિધનથી અત્યંત દુઃખ થયું છે. ખેમકાજી આજીવન વિવિધ સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યા. શોકની આ પળે મારી સંવેદનાઓ તેમના પરિવારજનો અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ!”

SD/GP/JD



(Release ID: 1709482) Visitor Counter : 178