આવાસ અને ગરીબી ઉન્મૂલન મંત્રાલય 
                
                
                
                
                
                
                    
                    
                        MOHUA એ પ્રધાનમંત્રી સ્વનિધિ લાભાર્થીઓની સામાજિક-આર્થિક રૂપરેખા રજૂ કરી
                    
                    
                        
સાકલ્યવાદી સામાજિક-આર્થિક ઉત્કર્ષ માટે વિવિધ કેન્દ્રીય યોજનાઓનો લાભ
ગયા, ઈન્દોર, કાકચિંગ ,નિઝામાબાદ, રાજકોટ અને વારાણસીમાં પ્રારંભિક કાર્યક્રમ ચાલુ થશે
                    
                
                
                    Posted On:
                11 DEC 2020 1:33PM by PIB Ahmedabad
                
                
                
                
                
                
                આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના સચિવ શ્રી દુર્ગા શંકર મિશ્રાએ આજે વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને રાજ્યના પ્રતિનિધિઓની હાજરીમાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના વધારાના ઘટક તરીકે પ્રધાનમંત્રી સ્વનિધિ લાભાર્થીઓ અને તેમના પરિવારના સભ્યોની સામાજિક-આર્થિક રૂપરેખા કાર્યક્રમની શરૂઆત કરી. આ અંતર્ગત, દરેક પીએમ સ્વનિધિ લાભાર્થી અને તેમના પરિવારના સભ્યોની સંપૂર્ણ રૂપરેખા તૈયાર કરવામાં આવશે. એકત્રિત કરેલા ડેટાના આધારે, વિવિધ પાત્ર કેન્દ્રીય યોજનાઓનો લાભ તેમના સાકલ્યવાદી સામાજિક-આર્થિક ઉત્કર્ષ માટે તેમને વિસ્તૃત કરવામાં આવશે.
આની શરૂઆત માનનીય પ્રધાનમંત્રીના વિઝનનાં સંદર્ભમાં કરવામાં આવી છે, પીએમ સ્વનિધિ યોજનાને ફક્ત શેરી વિક્રેતાઓ સુધી લોન લંબાવવાના દ્રષ્ટિકોણથી જ જોવી જોઈએ નહીં, પરંતુ શેરી વિક્રેતાઓ અને તેમના પરિવારો સુધી પહોંચવાના સાધન તરીકે પણ તથા તેમના સર્વગ્રાહી વિકાસ અને સામાજિક-આર્થિક ઉત્થાન માટે પણ જોવી જોઈએ.
પ્રથમ તબક્કામાં, આ કાર્યક્રમ માટે 125 શહેરોની પસંદગી કરવામાં આવી છે. પ્રોફાઇલ કેન્દ્ર સરકારની પસંદગીની યોજનાઓ માટે છે જે લાભાર્થીઓ અને તેમના કુટુંબના સભ્યોની સંભવિત પાત્રતા અને જોડાણની સુવિધાને ઓળખશે. આ ઉપરાંત, રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને તેમની સંબંધિત રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશની ચોક્કસ કલ્યાણકારી યોજનાઓનો વિસ્તાર કરવાનો વિકલ્પ પણ હશે. કાર્યક્રમ માટે અમલીકરણ ભાગીદાર તરીકે મેસર્સ ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (ક્યુસીઆઈ) ની નિમણૂક કરવામાં આવી છે.
સંપૂર્ણ અમલીકરણ થયા પહેલા MoHUA એ ગયા, ઇંદોર, કાકચિંગ, નિઝામબાદ, રાજકોટ અને વારાણસી જેવા છ શહેરોમાં પ્રારંભિક કાર્યક્રમ ચલાવશે.
ગૃહ અને શહેરી બાબતોનું મંત્રાલય (મોહુએચ.એ.) 1 જૂન, 2020થી પ્રધાનમંત્રી શેરી વિક્રેતાઓ આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વનિધિ) યોજનાનો અમલ કરી રહ્યું છે તથા કોવિડ-19 રોગચાળાથી પ્રતિકૂળ અસર થઈ હોય એવા શેરી વિક્રેતાઓને તેમનું જીવનનિર્વાહ ફરી શરૂ કરવા સવલત માટે 10,000 રૂપિયા સુધીની પરવડે તેવી કાર્યકારી મૂડી લોન આપવામાં આવી છે.
SD/GP/BT 
                
                
                
                
                
                (Release ID: 1679978)
                Visitor Counter : 354