ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય

MoFPI હેઠળ સંશોધન અને શૈક્ષણિક સંસ્થા IIFPTએ કોવિડ-19ના દર્દીઓ માટે પોષક દ્રવ્યોથી સમૃદ્ધ ખાદ્ય પદાર્થો બનાવીને અને તેનો પુરવઠો પૂરો પાડીને કોવિડ-19 સામે લડાઈમાં ટેકો આપ્યો

Posted On: 23 APR 2020 4:23PM by PIB Ahmedabad

ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલય (એમઓએફપીઆઈ) હેઠળ કાર્યરત પથપ્રદર્શક રિસર્ચ એન્ડ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂશન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી (આઇઆઇએફપીટી) કોવિડ-19 સામે ભારતની લડાઈને ટેકો આપ્યો છે. કેન્દ્રીય એફપીઆઈ મંત્રી શ્રીમતી હરસિમરત કૌર બાદલે આઇઆઇએફપીટી દ્વારા કોવિડ-19ના દર્દીઓ માટે પોષક દ્રવ્યોથી સભર ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરવા માટે હાથ ધરવામાં આવેલી પહેલની પ્રશંસા કરી હતી. અત્યારે દર્દીઓને સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક ક્ષમતા વધારે એવા ખાદ્ય ચીજવસ્તુઓ આવશ્યક છે.

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી (આઇઆઇએફપીટી) તબીબી નજર હેઠળ રહેલા કોવિડ-19 દર્દીઓ અને તાજેતરમાં તમિલનાડુમાં તાંજોર મેડિકલ કોલેજમાં સારવાર પછી રોગચાળામાંથી સાજા થયેલા લોકો માટે પોષક દ્રવ્યોથી ભરપૂર ખાદ્ય ચીજવસ્તુઓનું ઉત્પાદન કરે છે.

આઇઆઇએફપીટીને કોવિડ-19 સામે લડવા તાંજોરના જિલ્લા વહીવટીતંત્ર અને તાંજોર મેડિકલ કોલેજ (ટીએમસી)ના વહીવટીતંત્રના પ્રયાસોનો ટેકો પ્રાપ્ત છે. ડાયરેક્ટર ડો. સી આનનધર્માક્રિષ્નને જણાવ્યું હતું કે, કોવિડ-19ની સ્થિતિમાં રોગપ્રતિકારક ક્ષમતા વધારવા પોષક દ્રવ્યો પર ધ્યાન કેન્દ્રિત કરીને આઇઆઇએફપીટીના વૈજ્ઞાનિકોએ નવી ફૂડ પ્રોડક્ટ ફોર્મ્યુલા રજૂ કરી છે, જેને વિવિધ સ્વદેશી ખાદ્ય ઉત્પાદનોની રેન્જ સાથે પેક કરવામાં આવે છે. આઇઆઇએફપીટીના એચએસીસીપી અને આઇએસઓ સર્ટિફાઇડ ફૂડ પ્રોસેસિંગ બિઝનેસ ઇન્ક્યુબેશન સેન્ટર (એફપીબીઆઇસી) પર રોજિંદા ધોરણે બ્રેડ, કૂકીઝ, ખાખરાં અને બાજરીના રોટલા બનાવવામાં આવે છે તથા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પૂરા પાડવામાં આવે છે. પહેલ 21 એપ્રિલ, 2020નાં રોજ જિલ્લા કલેક્ટર અને ડીન, ટીએમની હાજરીમાં શરૂ થઈ હતી. આઇઆઇએફપીટીનો સ્ટાફ તમામ ઉત્પાદનોને કાળજીપૂર્વક તૈયાર કરીને એનું પેકિંગ કરે છે.

બ્રેડ સૂકા મોરિંગાના પાન, સિંગદાણાના પાવડર અને વ્હી પ્રોટિન સાથે સમૃદ્ધ છે, જેમાં આશરે 9.8 ટકા પ્રોટિન અને 8.1 ટકા રેષા છે ઉપરાંત લસણ, હળદર, આદુ અને અન્ય મરીમસાલા જેવા કુદરતી રોગપ્રતિકારક તત્ત્વો છે. કૂકીઝ આશરે 14.16 ટકા પ્રોટિન અને 8.71 ટકા રેષા ધરાવે છે, તેમજ મરીમસાલાના અર્ક ધરાવે છે. આશરે 12.85 ટકા પ્રોટિન અને 10.61 ટકા રેષા સાથે ખાખરા ઓર્ગેનોલેપ્ટિકની દ્રષ્ટિએ એટલા સારાં છે. મહત્ત્વપૂર્ણ બાબત છે કે, કોઈ કૃત્રિમ પદાર્થોને ઉત્પાદનોમાં ઉમેરવામાં આવતા નથી અને તૈયાર કર્યા પછી (પેકેજિંગ અને લેબલિંગ) તરત હોસ્પિટલમાં મોકલવામાં આવે છે.

 

ઉપરાંત આઇઆઇએફપીટીમાં એફએસએસએઆઈ રેફરલ લેબોરેટરી અને ખાદ્ય સલામતી અને ગુણવત્તા પરીક્ષણ વિભાગ છે, જે જિલ્લા પોલીસ વિભાગ અને સમયગાળા દરમિયાન વિવિધ ફરજોમાં સંકળાયેલા અન્ય અધિકારીઓ માટે હેન્ડ સેનિટાઇઝર્સ તૈયાર કરે છે. હેન્ડ સેનિટાઇઝર્સની ફોર્મ્યુલા ડબલ્યુએચઓની આચારસંહિતા મુજબ બનાવવામાં આવે છે.                                       

આઇઆઇએફપીટી વિશે

આઇઆઇએફપીટી ભારત સરકારનાં ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય હેઠળ કાર્યરત રાષ્ટ્રીય સ્તરની શૈક્ષણિક અને સંશોધન સંસ્થા છે. એના મુખ્ય કેમ્પસ તાંજોર, તમિલનાડુ તથા પંજાબમાં ભટિન્ડામાં અને અસમમાં ગૌહાટીમાં લાયસન ઓફિસો દ્વારા આઇઆઇએફપીટી ફૂડ પ્રોસેસિંગ, મૂલ્ય સંવર્ધન, ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સલામતી તથા બિઝનેસ ઇન્ક્યુબેશનના ક્ષેત્રમાં વિવિધ સેવાઓ પૂરી પાડે છે.

 

GP/DS



(Release ID: 1617515) Visitor Counter : 188