પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મોરેશિયસના પ્રધાનમંત્રી જગન્નાથને ફોન કરી અભિનંદન પાઠવ્યા

Posted On: 09 NOV 2019 7:28PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ કુમાર જગન્નાથ સાથે ટેલિફોનિક વાર્તાલાપ કર્યો હતો અને તાજેતરમાં ત્યાં યોજાયેલી ચૂંટણીઓમાં તેમના વિજય બદલ તેમને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે, મોરેશિયસના લોકોએ પ્રધાનમંત્રી જગન્નાથના નેતૃત્ત્વમાં ભરોસો મૂક્યો છે. આ વિજયથી મોરેશિયસ સરકારની વિકાસલક્ષી નીતિઓને જનતાના સમર્થનની ખાતરી થઇ છે. પારસ્પરિક ફાયદા માટે બંને દેશો વચ્ચે નજીકના અને વ્યાપક સહકાર માટે ભારત પોતાની કટિબદ્ધતા પર કાયમ હોવાનો તેમણે પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રધાનમંત્રી જગન્નાથે પ્રધાનમંત્રી મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ વિશેષ નેતૃત્ત્વને ભારત સાથે મળીને આગળ વધારવાની તેમજ દ્વિપક્ષીય સહકાર વધુ મજબૂત કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તાજેતરમાં અપ્રવાસી દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉત્તરપ્રદેશના રાજ્યપાલની ઉપસ્થિતિ બદલ પણ તેમણે ભારત સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રી મોદીએ તેમને વહેલી તકે અનુકૂળતા અનુસાર ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ પાઠવ્યું હતું જેનો પ્રધાનમંત્રી જગન્નાથે સ્વીકાર કર્યો હતો.

 

RP



(Release ID: 1591158) Visitor Counter : 110