મંત્રીમંડળ

મંત્રીમંડળે યુપીએસસી અને સીએસસીએમ વચ્ચેના સમજૂતી કરારને મંજૂરી આપી

Posted On: 07 MAR 2019 2:29PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન(યુપીએસસી) અને સિવિલ સર્વિસીસ કાઉન્સિલ ઑફ મોંગોલિયા (સીએસસીએમ) વચ્ચેનાં સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે.

આ એમઓયુ સીએસસીએમ અને યુપીએસસી વચ્ચેના વર્તમાન સંબંધોને મજબૂત બનાવશે. તે ભરતીની પ્રક્રિયામાં બંને પક્ષોના અનુભવ અને તજજ્ઞતાનું આદાન-પ્રદાન કરવાની સુવિધા પુરી પાડશે.

NP/J.Khunt/GP/RP



(Release ID: 1567892) Visitor Counter : 158