પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ સ્વામી વિવેકાનંદનું તેમની જયંતિ પર સ્મરણ કર્યુ

Posted On: 12 JAN 2019 10:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદનું તેમની જયંતિ પર સ્મરણ કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું, “ઊઠો, જાગો અને લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. આ શક્તિશાળી શબ્દોને હંમેશા યાદ રાખો. સ્વામી વિવેકાનંદનાં સોનેરી, અમૂલ્ય અને પ્રેરણાસ્રોત સમાન વિચારોને જીવનમાં ઉતારો. તેમણે સેવા અને સમર્પણનાં આદર્શો પર ભાર મૂક્યો હતો. તેઓ યુવા શક્તિને ખીલવવામાં માનતાં હતાં.

સ્વામી વિવેકાનંદનાં વિચારો અને આદર્શો કરોડો ભારતીયોને પ્રેરિત કરે છે અને ઊર્જાવંત કરે છે, ખાસ કરીને યુવાનોને. ભારતનું નિર્માણ કરવાની પ્રેરણા આપણને એમનાં મક્કમ, જીવંત, સમાવેશી વિચારોમાંથી મળે છે અને તેથી ભારતે વિવિધ ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ લીધું છે.

 

RP

 



(Release ID: 1559720) Visitor Counter : 176