પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાણી લક્ષ્મીબાઈને તેમની જયંતી પર શ્રદ્ધાંજલી અર્પણ કરી

Posted On: 19 NOV 2018 10:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાણી લક્ષ્મીબાઈને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “રાણી લક્ષ્મીબાઈ દરેક ભારતીયો માટે પ્રેરણા સ્રોત છે. પ્રતિકૂળતાઓ દરમિયાન તેમનું ધૈર્ય અને સંસ્થાનવાદ સામેનો તેમનો દ્રઢ વિરોધ ક્યારેય ભૂલાશે નહીં. આવા મહાન લોકોને કારણે જ ભારતે આઝાદી પ્રાપ્ત કરી છે. તેમની જયંતિ પર તેમને યાદ કરીએ.

 

 

J.Khunt/GP/RP



(Release ID: 1553098) Visitor Counter : 133