પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ કેદરનાથ મંદિરમાં પૂજા કરી; તેમજ પુનર્નિર્માણ પરિયોજનાઓની પ્રગતિનું નિરીક્ષણ કર્યુ
Posted On:
07 NOV 2018 12:02PM by PIB Ahmedabad
દિવાળીના અવસર પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કેદારનાથની યાત્રા કરી હતી. તેમણે ઐતિહાસિક કેદરનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. તેમણે સંપૂર્ણ મંદિર પરિસરને નિહાળ્યુ અને ત્યાં ચાલી રહેલા પુનર્નિર્માણ કાર્યની પ્રગતિનું નિરીક્ષણ કર્યુ. વરિષ્ઠ અધિકારીઓએ ચાલી રહેલા નિર્માણ કાર્ય વિશે પ્રધાનમંત્રીને માહિતી આપી હતી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત લોકો સાથે વાતચીત પણ કરી હતી.
2013માં આવેલા પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત કેદારનાથ મંદિર પરિસરમાં અત્યારે વિકાસ અને પુનર્નિમાણનું કાર્ય પ્રગતિમાં છે.
RP
(Release ID: 1552063)
Visitor Counter : 153