મંત્રીમંડળ

મંત્રીમંડળે સર્વે નં. 408, જલંધર કેન્ટમાં કેન્દ્રીય વિદ્યાલયના નિર્માણ માટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનને સંરક્ષણની 7.5 એકર જમીન હસ્તાંતરિત કરવા માટે મંજૂરી આપી

Posted On: 04 JUL 2018 2:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે સર્વે નં. 408, જલંધર કેન્ટમાં કેન્દ્રીય વિદ્યાલય નં. 04ના નિર્માણ માટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનને રૂ. 1 પ્રતિ વર્ષના નજીવા ભાડા પટ્ટા પર 7.5 એકર એ-1 સંરક્ષણ જમીન હસ્તાંતરિત કરવા માટે મંજૂરી આપી દીધી છે.

પૃષ્ઠભૂમિ :

જો કે જલંધર કેન્ટના કેન્દ્રીય વિદ્યાલય નં. 04નું સંચાલન જલંધરની સર્વે સંખ્યા 408માં આવેલા કુલવંત હોલની સામેના એમઈએસ ભવનથી તાત્કાલિક જરૂરિયાતના આધાર પર વર્ષ 1987થી થઈ રહ્યું છે. આ એ-1 સંરક્ષણ જમીન 26 એકરમાં ફેલાયેલી છે. જો કે જલંધર કેન્ટના કેન્દ્રીય વિદ્યાલય નં. 04માં કુલ 1346 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા પોતાના સ્થાયી વિદ્યાલય ભવનના નિર્માણથી શાળા પ્રશાસનમાં કાર્યરત કર્મચારીઓની શૈક્ષણિક જરૂરિયાતને પૂર્ણ કરવા ઉત્તમ ઈન્ફ્રાસ્ટ્રક્ટર તૈયાર કરવામાં મદદ મળશે. વિદ્યાલય ભવનનું નિર્માણ પૂર્ણ થયા બાદ બાકી 18.5 એકર જમીન સેનાને હસ્તાંતરિત કરી દેવામાં આવશે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1537602) Visitor Counter : 141