રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ ભારતના રાષ્ટ્રપતિની શુભેચ્છાઓ

પોસ્ટેડ ઓન: 03 SEP 2026 7:09PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂએ જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાએ આપેલા પોતાના સંદેશમાં જણાવ્યું છે કે: -

જન્માષ્ટમીના શુભ પ્રસંગે, હું ભારતમાં અને વિદેશમાં વસતા તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છાઓ અને શુભકામનાઓ પાઠવું છું.

ભગવાન શ્રી કૃષ્ણનું જીવન અને તેમના ઉપદેશો ભારતીય સાંસ્કૃતિક અને દાર્શનિક વારસામાં નવો પ્રાણ ફૂંકે છે. ભગવાન શ્રી કૃષ્ણે સત્ય, ધર્મ, ન્યાય, કરુણા અને નિઃસ્વાર્થ સેવાનો માર્ગ બતાવ્યો. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ તેમના ઉપદેશો, મુશ્કેલ સમયમાં વિવેકપૂર્ણ નિર્ણયો લેવા અને નૈતિક મૂલ્યોમાં મક્કમ રહેવા માટે માનવજાત માટે પ્રેરણાનો શાશ્વત સ્ત્રોત બની રહ્યા છે.

જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર આપણાને સદ્ભાવના, કર્તવ્ય નિષ્ઠા અને સેવાની ભાવનાને ટકાવી રાખવા માટે પ્રેરિત કરે છે.

આ શુભ પ્રસંગે, ચાલો આપણે ભગવાન શ્રી કૃષ્ણના આદર્શોને અનુસરવાનો અને એક સમાવેશી અને વિકસિત ભારતના નિર્માણ તરફ અથાક કાર્ય કરતા રહેવાનો સંકલ્પ કરીએ.”

SM/NP/JD


(રીલીઝ આઈડી: 2306513) મુલાકાતી સંખ્યા : 11
આ રીલીઝ વાંચો: English , Urdu , Marathi , हिन्दी , Malayalam