પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુરુ પૂર્ણિમા પર શિક્ષકોની ભૂમિકા પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

प्रविष्टि तिथि: 29 JUL 2026 8:20AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે દેશના લોકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે કહ્યું કે, જ્ઞાન આપવાની સાથે, શિક્ષકો તેમના વિદ્યાર્થીઓને સકારાત્મક ઉર્જાથી ભરે છે અને તેમને ઉમદા વિચારો અને મૂલ્યો દ્વારા ઘડે છે. પ્રધાનમંત્રીએ દરેકને તેમના ગુરુઓના આદર્શોને તેમના જીવનમાં માર્ગદર્શક શક્તિ બનાવવા હાકલ કરી.

પ્રધાનમંત્રીએ સંસ્કૃત સુભાષિત શેર કર્યું-

प्रेरकः सूचकश्चैव वाचको दर्शकस्तथा।

शिक्षकः बोधकश्चैव षडेते गुरवः स्मृताः ॥

સુભાષિત એ વાત દર્શાવે છે કે જે વ્યક્તિ સાચી દિશા આપે છે, જ્ઞાન અને સત્ય આપે છે, ન્યાયી માર્ગ બતાવે છે, શિક્ષણ આપે છે અને જીવનમાં સત્યની સમજ જાગૃત કરે છે, સ્વ-વિકાસનો માર્ગ મોકળો કરે છે. તેને ગુરુના છ સ્વરૂપો માનવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું;

"ગુરુ પૂર્ણિમા નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. જ્ઞાન આપવા ઉપરાંત, ગુરુ તેમના શિષ્યોમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે, તેમને ઉમદા વિચારો અને સદ્ગુણી મૂલ્યોથી શિક્ષિત કરે છે. ચાલો આપણે તેમના આદર્શોને આપણા જીવનમાં માર્ગદર્શક શક્તિ બનાવીએ.

प्रेरकः सूचकश्चैव वाचको दर्शकस्तथा।

शिक्षकः बोधकश्चैव षडेते गुरवः स्मृताः॥


 

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2290898) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Odia , Telugu , Kannada , Malayalam