પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સાથે સત્તાવાર વાર્તાલાપ કર્યો
प्रविष्टि तिथि:
07 JUL 2026 2:51PM by PIB Ahmedabad
ઇન્ડોનેશિયાની તેમની સત્તાવાર મુલાકાતના ભાગરૂપે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું આજે ઇસ્તાના મરડેકા (રાષ્ટ્રપતિ ભવન) ખાતે રિપબ્લિક ઓફ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી પ્રબોવો સુબિયાન્તો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જાન્યુઆરી 2025 માં ભારતના 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ પ્રબોવોની ભારતની સત્તાવાર મુલાકાત પછી બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ બેઠક હતી.
બંને નેતાઓએ મર્યાદિત અને પ્રતિનિધિમંડળ સ્તર એમ બંને ફોર્મેટમાં સત્તાવાર વાર્તાલાપ કર્યો હતો. તેઓએ વ્યાપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, દરિયાઈ સહયોગ, ડિજિટલ અને નાણાકીય ટેક્નોલોજી, ઊર્જા, આરોગ્ય સંભાળ અને ફાર્માસ્યુટિકલ્સ, અંતરિક્ષ, મહત્વપૂર્ણ ખનિજો અને રેર અર્થ્સ, સંસ્કૃતિ, પ્રવાસન, કૃષિ અને લોકો વચ્ચેના પરસ્પર સંબંધો સહિતના વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીના તમામ પાસાઓની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ ભારતના ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) પર આધારિત 'ઇન્ડોનેશિયા ઓપન નેટવર્ક' (ION) ના લોન્ચિંગને આવકાર્યું હતું. વર્ષ 2027 માં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરની ઇન્ડોનેશિયા મુલાકાતની શતાબ્દી નિમિત્તે, પ્રધાનમંત્રી મોદીએ જાહેરાત કરી હતી કે બંને દેશો સંયુક્ત રીતે આ પ્રસંગને "સાંસ્કૃતિક અને શૈક્ષણિક રાજદ્વારી માટે ટાગોર-દેવાંતરા વર્ષ" તરીકે ઉજવશે.
નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ પોતાના વિચારો શેર કર્યા હતા. તેઓએ આસિયાન-ભારત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવા અંગે ચર્ચા કરી હતી. તેઓએ મુક્ત, ખુલ્લા અને નિયમો આધારિત ઇન્ડો-પેસિફિક પ્રદેશ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સંદર્ભમાં, પ્રધાનમંત્રીએ ભારતના 'મહાસાગર' - MAHASAGAR (Mutual and Holistic Advancement for Security and Growth Across Regions) વિઝન પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિ પ્રબોવોએ વર્ષ 2026 માં બ્રિક્સના ભારતના ચાલુ અધ્યક્ષપદ માટે ઇન્ડોનેશિયાના સંપૂર્ણ સમર્થનની ખાતરી આપી હતી.
વાતચીત બાદ, બંને નેતાઓની ઉપસ્થિતિમાં સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનિજો અને રેર અર્થ્સ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, શિક્ષણ, ચૂંટણી પ્રક્રિયાઓ, ટેલિકોમ્યુનિકેશન્સ, કૃષિ, દરિયાઈ સુરક્ષા, અંતરિક્ષ, સ્ટીલ સપ્લાય ચેઈન, આપત્તિ વ્યવસ્થાપન, તબીબી ઉત્પાદનોના નિયમન, આરોગ્ય કર્મચારીઓના સહયોગ સહિતના અન્ય ક્ષેત્રોમાં એમઓયુ/કરારોની આપ-લે કરવામાં આવી હતી. યોગ્યાકાર્તામાં આવેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ 'પ્રામબનન મંદિર પરિસર'ના સંરક્ષણ અને પુનઃસ્થાપન માટે ભારતના સમર્થન અંગેના ઇન્ટેન્ટ લેટરની પણ આપ-લે કરવામાં આવી હતી. આપ-લે કરાયેલા એમઓયુ/કરારોની સંપૂર્ણ યાદી અહીં જોઈ શકાય છે [Link].
વાતચીત પછી, રાષ્ટ્રપતિ પ્રબોવોએ પ્રધાનમંત્રીના સન્માનમાં ભોજનનું આયોજન કર્યું હતું. પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ પ્રબોવોના ઉમદા આતિથ્ય સત્કાર બદલ આભાર માન્યો હતો અને તેમને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.
SM/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2281982)
आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam