ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિએ પ્રખ્યાત સમાજ સુધારક રેત્તમાલાઈ શ્રીનિવાસનને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
07 JUL 2026 12:52PM by PIB Ahmedabad
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી.પી. રાધાકૃષ્ણને આજે નવી દિલ્હીમાં ઉપ-રાષ્ટ્રપતિ ભવનમાં પ્રખ્યાત સમાજ સુધારક રેટ્ટામલાઈ શ્રીનિવાસનને તેમની જન્મજયંતી પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
રેટ્ટામલાઈ શ્રીનિવાસનને શ્રદ્ધાંજલિ આપતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, "રેટ્ટામલાઈ શ્રીનિવાસન એક મહાન વિદ્વાન અને પ્રખ્યાત સમાજ સુધારક હતા. અસ્પૃશ્યતા સામેનો તેમનો સંઘર્ષ અજોડ હતો."
ઉપરાષ્ટ્રપતિએ વધુમાં કહ્યું કે રેટ્ટામલાઈ શ્રીનિવાસને અસ્પૃશ્યતાના સામાજિક દુષણ સામે લડવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું અને દ્રઢપણે માનતા હતા કે દરેક વ્યક્તિનું આત્મસન્માન અને ગૌરવ હંમેશા જાળવી રાખવું જોઈએ.



SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2281922)
आगंतुक पटल : 19