ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 27-28 જૂનના રોજ કર્ણાટકની મુલાકાત લેશે
ઉપરાષ્ટ્રપતિ બેંગલુરુમાં નાદપ્રભુ શ્રી કેમ્પેગૌડાની 517મી જન્મજયંતિની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે
प्रविष्टि तिथि:
26 JUN 2026 1:49PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 27 થી 28 જૂન 2026 દરમિયાન કર્ણાટકની બે દિવસીય મુલાકાતે રહેશે.
27 જૂન 2026 ના રોજ, ઉપરાષ્ટ્રપતિ બેંગલુરુમાં નાદપ્રભુ શ્રી કેમ્પેગૌડાની 517મી જન્મજયંતિની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.
28 જૂન 2026 ના રોજ, ઉપરાષ્ટ્રપતિ બેંગલુરુમાં રાજીવ ગાંધી યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સીસ (RGUHS) ના સ્થાપના દિવસ અને આંતરરાષ્ટ્રીય નશાખોરી અને ગેરકાયદેસર હેરફેર વિરોધી દિવસ કાર્યક્રમના ભાગરૂપે આયોજિત 'નશા મુક્ત ભારત કોન્ક્લેવ' માં ભાગ લેશે.
SM/DK/JD
(रिलीज़ आईडी: 2278213)
आगंतुक पटल : 19