સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે QR કોડ-આધારિત ડ્રગ ટ્રેસેબિલિટી ફ્રેમવર્કને રસી, એન્ટિમાઇક્રોબાયલ્સ અને કેન્સર વિરોધી દવાઓ સુધી વિસ્તૃત કર્યું
QR કોડ-આધારિત ઓથેન્ટિકેશન રસીઓ, એન્ટિમાઇક્રોબાયલ્સ, NDPS અને કેન્સર વિરોધી દવાઓને આવરી લેશે
प्रविष्टि तिथि:
25 JUN 2026 1:20PM by PIB Ahmedabad
ભારતની ફાર્માસ્યુટિકલ સપ્લાય ચેનની ગુણવત્તા, સલામતી અને અખંડિતતાને મજબૂત કરવા તરફના એક મોટા પગલામાં, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શેડ્યૂલ H2ના વ્યાપને વિસ્તારવા અને QR કોડ-આધારિત ટ્રેક એન્ડ ટ્રેસ ફ્રેમવર્ક હેઠળ દવાઓની વધારાની શ્રેણીઓ લાવવા માટે ડ્રગ્સ રૂલ્સ, 1945માં સુધારા સૂચિત કર્યા છે.
સુધારેલી જોગવાઈઓ હેઠળ, નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985 હેઠળ આવરી લેવામાં આવેલી તમામ રસીઓ, એન્ટિમાઇક્રોબાયલ્સ, નાર્કોટિક અને સાયકોટ્રોપિક દવાઓ અને તમામ કેન્સર વિરોધી દવાઓનો ડ્રગ્સ રૂલ્સ, 1945ના શેડ્યૂલ H2 હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સુધારા સાથે, આ ડ્રગ ફોર્મ્યુલેશનના ઉત્પાદકોએ પ્રોડક્ટના પ્રાથમિક પેકેજિંગ લેબલ પર અથવા જ્યાં અપૂરતી જગ્યા હોય ત્યાં સેકન્ડરી પેકેજિંગ લેબલ પર બાર કોડ અથવા ક્વિક રિસ્પોન્સ (QR) કોડ પ્રિન્ટ અથવા ફિક્સ કરવો જરૂરી રહેશે. QR કોડ એવી માહિતી સંગ્રહિત કરશે જેને સમગ્ર સપ્લાય ચેનમાં પ્રોડક્ટના ઓથેન્ટિકેશન અને વેરિફિકેશનને સરળ બનાવવા માટે સોફ્ટવેર એપ્લિકેશન્સ દ્વારા એક્સેસ કરી શકાય છે.
QR કોડમાં પ્રોડક્ટની મુખ્ય માહિતી હશે જેમાં યુનિક પ્રોડક્ટ આઇડેન્ટિફિકેશન કોડ, જેનરિક અને બ્રાન્ડનું નામ, ઉત્પાદકનું નામ અને સરનામું, બેચ નંબર, ઉત્પાદન અને એક્સપાયરી તારીખો, મેન્યુફેક્ચરિંગ લાયસન્સ નંબર અને એક્સિપિયન્ટ્સની વિગતો, જ્યાં પણ લાગુ પડતી હોય ત્યાં સામેલ હશે.
QR કોડ-આધારિત ઓળખ માટેની જરૂરિયાત અગાઉ દેશની ટોચની 300 ફાર્માસ્યુટિકલ બ્રાન્ડ્સ માટે લાગુ પડતી હતી. વર્તમાન સુધારો તમામ રસીઓ, એન્ટિમાઇક્રોબાયલ્સ, કેન્સર વિરોધી દવાઓ અને નાર્કોટિક અને સાયકોટ્રોપિક દવાઓનો સમાવેશ કરવા માટે તેના કવરેજને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરે છે, જેથી ટ્રેસેબિલિટીના ક્ષેત્રને વ્યાપક બનાવે છે અને નકલી તેમજ સબસ્ટાન્ડર્ડ (નિમ્ન સ્તરની) દવાઓના ચલણ સામેના રક્ષણાત્મક ઉપાયોને મજબૂત કરે છે.
ઉન્નત ટ્રેસેબિલિટી મિકેનિઝમ સપ્લાય ચેનના વિવિધ તબક્કાઓ પર દવાઓના ઓથેન્ટિકેશનને સરળ બનાવશે અને ડ્રગ પ્રોડક્ટ્સના બહેતર ટ્રેકિંગ અને વેરિફિકેશનને સક્ષમ બનાવશે. આ પગલાંથી નિયામક દેખરેખ મજબૂત થવાની અને બજારમાં નકલી દવાઓના વિતરણ પર અંકુશ લાવવાના પ્રયાસોને સમર્થન મળવાની અપેક્ષા છે. તે નકલી અને સબસ્ટાન્ડર્ડ એન્ટિમાઇક્રોબાયલ પ્રોડક્ટ્સની સારી ઓળખ અને દેખરેખને સક્ષમ કરીને એન્ટિ-માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) સામેની રાષ્ટ્રીય લડતમાં પણ યોગદાન આપશે.
અમલીકરણ માટે ઉદ્યોગ અને અન્ય હિતધારકોને પૂરતો સમય આપવાની જરૂરિયાતને સ્વીકારીને, મંત્રાલયે પાલન માટે તબક્કાવાર સમયરેખા નિર્ધારિત કરી છે. રસીઓ, નાર્કોટિક અને સાયકોટ્રોપિક દવાઓ અને કેન્સર વિરોધી દવાઓ સંબંધિત જોગવાઈઓ 1 જુલાઈ 2027થી અમલમાં આવશે, જ્યારે એન્ટિમાઇક્રોબાયલ્સ સંબંધિત જોગવાઈઓ 1 જુલાઈ 2028થી પ્રભાવી થશે.
આ દેશની "નશા મુક્ત ભારત" માટેની લડતમાં મદદ કરવા માટે NDPS દવાઓની સપ્લાય ચેનને ટ્રેક અને ઓથેન્ટિકેટ કરવામાં પણ મદદ કરશે.
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2277745)
आगंतुक पटल : 13