પર્યાવરણ અને વન મંત્રાલય
પેરિસ કરારના આર્ટિકલ 6.2 હેઠળ ભારત અને જાપાન વચ્ચે જોઈન્ટ ક્રેડિટિંગ મિકેનિઝમ માટેના અમલીકરણના નિયમો સ્વીકારવામાં આવ્યા
प्रविष्टि तिथि:
16 JUN 2026 3:02PM by PIB Ahmedabad
ભારત ગણરાજ્યની સરકાર અને જાપાનની સરકારે 08.06.2026ના રોજ યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC)ના પેરિસ કરારના આર્ટિકલ 6.2 હેઠળ જોઈન્ટ ક્રેડિટિંગ મિકેનિઝમ ( JCM)ના 'અમલીકરણના નિયમો' સ્વીકાર્યા છે.
ગયા વર્ષે, ભારત અને જાપાને જોઈન્ટ ક્રેડિટિંગ મિકેનિઝમ (JCM) માટે મેમોરેન્ડમ ઓફ કોઓપરેશન (MoC ) પર હસ્તાક્ષર કર્યા હતા. આ MoC ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં ઘટાડો અથવા તેના નિકાલને સુનિશ્ચિત કરતી શમન પ્રવૃત્તિઓ પર સહયોગ માટે એક માળખું સ્થાપિત કર્યું હતું, જે ભારતમાં ટકાઉ વિકાસના પરિણામોને ટેકો આપે છે અને બંને દેશોના નેશનલી ડિટરમાઇન્ડ કોન્ટ્રિબ્યુશન્સ (NDCs)ની સિદ્ધિમાં યોગદાન આપે છે.
અમલીકરણના નિયમો એક મજબૂત શાસન વ્યવસ્થા વ્યાખ્યાયિત કરે છે, જેમાં બંને સરકારોના પ્રતિનિધિઓ સાથેની એક સંયુક્ત સમિતિ, પારદર્શક પ્રોજેક્ટ મંજૂરી પ્રક્રિયાઓ, તૃતીય-પક્ષ માન્યતા અને ચકાસણી, ટકાઉ વિકાસ સંબંધી સુરક્ષા ઉપાયો અને ક્રેડિટના જારી કરવા તેમજ ટ્રાન્સફર પર નજર રાખવા માટે રાષ્ટ્રીય રજિસ્ટ્રીઓનો સમાવેશ થાય છે.
જોઈન્ટ ક્રેડિટિંગ મિકેનિઝમ આબોહવા પરિવર્તન સામેની લડાઈ પ્રત્યે ભારતની મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવે છે. તે આબોહવા પરિવર્તન શમન અને ટકાઉ વિકાસને ટેકો આપવા માટે ભારતમાં લો-કાર્બન ટેકનોલોજી ધરાવતા પ્રોજેક્ટ્સ માટે રોકાણ, ટેકનોલોજી ટ્રાન્સફર અને ક્ષમતા નિર્માણને વેગ આપશે.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2273567)
आगंतुक पटल : 21