પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ યોગ અને સ્વસ્થ વૃદ્ધાવસ્થા પરનો એક લેખ શેર કર્યો

प्रविष्टि तिथि: 14 JUN 2026 8:07PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી પ્રતાપરાવ જાધવ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.

આ લેખ એક મજબૂત અને વધુ વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે નાગરિકો જીવનના તમામ તબક્કામાં સ્વસ્થ, સક્રિય અને ઉત્પાદક રહે તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે. તે એ વાત પર ભાર મૂકે છે કે ભારતના કાલાતીત જ્ઞાનમાં રહેલો યોગ, સ્વાસ્થ્ય માટે એક સર્વગ્રાહી અભિગમ પ્રદાન કરે છે અને જીવનભરના સાથી તરીકે કામ કરે છે જે સ્વસ્થ વૃદ્ધાવસ્થાને ટેકો આપે છે.

X પરની એક પોસ્ટમાં, પ્રધાનમંત્રી કાર્યાલયે જણાવ્યું;

સમગ્ર વિશ્વ જ્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2026ની ઉજવણી કરવા માટે સજ્જ થઈ રહ્યું છે, ત્યારે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી @mpprataprao એક મજબૂત અને વધુ વિકસિત રાષ્ટ્રના નિર્માણ માટે નાગરિકો જીવનના તમામ તબક્કામાં સ્વસ્થ, સક્રિય અને ઉત્પાદક રહે તે સુનિશ્ચિત કરવાની જરૂરિયાત વિશે લખે છે.

તેઓ ભારપૂર્વક જણાવે છે કે ભારતના કાલાતીત જ્ઞાનમાં રહેલો યોગ, સ્વાસ્થ્ય માટે એક સર્વગ્રાહી અભિગમ પ્રદાન કરે છે, જે જીવનભરના સાથી તરીકે કામ કરીને સ્વસ્થ વૃદ્ધાવસ્થાને ટેકો આપે છે.”

SM/IJ/JD


(रिलीज़ आईडी: 2272756) आगंतुक पटल : 34
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam