સમાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય
જીવનમાં પરિવર્તનના 12 વર્ષ: સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે 11 કરોડથી વધુ આકાંક્ષી નાગરિકોને સશક્ત બનાવ્યા
ભારતના કલ્યાણકારી માળખામાં મોટો સુધારો: ડિજિટલ સુધારા અને ડાયરેક્ટ ટ્રાન્સફરે ₹71,000+ કરોડના સામાજિક ન્યાય અભિયાનને મળ્યો મજબૂત આધાર
ગૌરવ પુનઃસ્થાપિત કરવાને અપાઈ પ્રાથમિકતા: ટ્રાન્સજેન્ડર સમુદાયો, વરિષ્ઠ નાગરિકો અને સ્વચ્છતા કામદારો માટે સુરક્ષા માળખાને ફરીથી તૈયાર કરતી યોજનાઓની આંતરિક વિગતો
प्रविष्टि तिथि:
11 JUN 2026 4:08PM by PIB Ahmedabad
સામાજિક ન્યાય અને સશક્તિકરણ વિભાગ (DoSJE) દ્વારા આજે 12 વર્ષની સીમાચિહ્નરૂપ સિદ્ધિઓની વિગતવાર સમીક્ષા જાહેર કરવામાં આવી છે, જે મૂળભૂત કલ્યાણથી લઈને સંપૂર્ણ સશક્તિકરણ તરફ આવેલા અભિગમના પરિવર્તનને દર્શાવે છે. ગહન ડિજિટલ હસ્તક્ષેપ, મજબૂત કાયદાકીય સુરક્ષા કવચ અને લક્ષિત આજીવિકાની તકો દ્વારા, મંત્રાલયે 2014 થી સમગ્ર ભારતમાં 11 કરોડથી વધુ વિદ્યાર્થીઓ, વરિષ્ઠ નાગરિકો, ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ અને વંચિત સમુદાયોના જીવન પર સીધી હકારાત્મક અસર કરી છે.
ડિજિટલ પારદર્શિતા દ્વારા શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ
એક બહુસ્તરીય ડિજિટલ માળખાએ શૈક્ષણિક સહાયના વિતરણમાં સંપૂર્ણ સુધારો કર્યો છે. નાણાકીય વર્ષ 2021-22 થી આધાર-સીડેડ બેંક ખાતાઓ સાથે જોડાયેલા સંપૂર્ણ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મોડલ પર સંક્રમણ કરીને, મંત્રાલયે વચેટિયાઓ અને સંસ્થાકીય વિલંબને નાબૂદ કર્યો છે. અત્યાર સુધીમાં, અનુસૂચિત જાતિ માટેની ફ્લેગશિપ પોસ્ટ-મેટ્રિક સ્કોલરશિપ યોજનાએ ₹46,581.54 કરોડના રોકાણ સાથે 6.12 કરોડથી વધુ વિદ્યાર્થીઓને સહાય પૂરી પાડી છે.
તે જ રીતે, પ્રી-મેટ્રિક સ્કોલરશિપ યોજનાએ ₹4,893.03 કરોડ ભંડોળ સાથે 2.99 કરોડ વંચિત વિદ્યાર્થીઓની શિક્ષા સુરક્ષિત કરી છે. PM-YASASVI યોજના હેઠળ, OBC, EBC અને DNT સમુદાયના 1,069 લાખથી વધુ વિદ્યાર્થીઓને શૈક્ષણિક નાણાકીય સહાય, રહેણાંક હોસ્ટેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રીમિયર સ્કૂલ પ્લેસમેન્ટ પ્રાપ્ત થયા છે, સહાયની કુલ રકમ ₹15,555.53 કરોડ થાય છે.
સામાજિક ન્યાય અને ગૌરવ માટે નક્કર સુરક્ષા કવચ
મંત્રાલયે ઐતિહાસિક સંસ્થાકીય સંરક્ષણનો કડક અમલ કર્યો છે. કડક ન્યાય સુનિશ્ચિત કરવા માટે, એસસી/એસટી (અત્યાચાર નિવારણ) અધિનિયમમાં મોટા સુધારાઓ પસાર કરવામાં આવ્યા હતા, જેના હેઠળ એક્સક્લુઝિવ સ્પેશિયલ કોર્ટની સ્થાપના કરવામાં આવી, પીડિત અધિકાર માળખા તૈયાર કરાયા અને રાહતની રકમમાં વધારો કરવામાં આવ્યો. 2014 થી અત્યાર સુધીમાં ₹5,012.17 કરોડ મુક્ત કરવામાં આવ્યા છે, જેણે 7.26 લાખ અત્યાચાર પીડિતોને સીધો ટેકો આપ્યો છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્યના મોરચે, 'નશા મુક્ત ભારત અભિયાન' (NMBA) એ એક અભૂતપૂર્વ જનજાગૃતિ અભિયાનનું નિર્માણ કર્યું છે, જે આધ્યાત્મિક સંસ્થાઓ અને ડિજિટલ ડેશબોર્ડ્સ સાથેની ભાગીદારી દ્વારા 9.56 કરોડ યુવાનો સહિત 26.28 કરોડથી વધુ નાગરિકો સુધી પહોંચ્યું છે.
વરિષ્ઠ નાગરિકો અને ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ માટે વિશિષ્ટ સંભાળ માળખું
અટલ વયો અભ્યુદય યોજના (AVYAY) હેઠળ, વરિષ્ઠ નાગરિકોની સંભાળ માત્ર દયાભાવથી આગળ વધીને સંસ્થાકીય અધિકાર બની છે. રાષ્ટ્રીય વયોશ્રી કેમ્પ્સ દ્વારા 8.53 લાખથી વધુ વૃદ્ધોને 46.32 લાખ મફત સહાયક જીવન ઉપકરણો (આસિસ્ટિવ લિવિંગ ડિવાઇસીસ) પ્રાપ્ત થયા છે, જ્યારે રાષ્ટ્રીય "એલ્ડરલાઇન" (14567) એ 29 લાખથી વધુ કોલ્સનું સફળતાપૂર્વક નિવારણ કર્યું છે. આ ઉપરાંત, અગ્રણી સ્માઇલ (SMILE) યોજનાએ એકીકૃત નેશનલ પોર્ટલ દ્વારા ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓને કાનૂની અને આર્થિક ઓળખ પ્રદાન કરી છે, જેના અંતર્ગત 33,189 પ્રમાણપત્રો જારી કરવામાં આવ્યા છે, કાર્યરત 'ગરિમા ગૃહ' આશ્રયસ્થાનોની સ્થાપના કરવામાં આવી છે અને આયુષ્માન ભારત (PM-JAY) માળખામાં લિંગ-પુષ્ટિ (જેન્ડર-એફર્મેશન) પ્રક્રિયાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સર્વસમાવેશક ઉદ્યોગસાહસિકતા અને યાંત્રિક સ્વચ્છતાને પ્રોત્સાહન
આર્થિક સ્વાવલંબનને વેગ આપતા, અનુસૂચિત જાતિ માટેના વેન્ચર કેપિટલ ફંડ (VCF-SC) અને પછાત વર્ગો માટેના વેન્ચર કેપિટલ ફંડ (VCF-BC) એ સંયુક્ત રીતે સ્પર્ધાત્મક વ્યવસાયો સ્થાપવા માટે ₹750 કરોડથી વધુની મંજૂરી આપી છે, જેનાથી હજારો લોકોને સીધી રોજગારી મળી છે. વધુમાં, નમસ્તે (NAMASTE) યોજના હેઠળ, મંત્રાલયે હાથથી સફાઈ કરવાની પ્રથાઓ નાબૂદ કરીને ગટર (સીવર) ની સફાઈના સંપૂર્ણ યાંત્રીકરણની હિમાયત કરી છે, જેમાં દેશભરના 3.42 લાખ સ્વચ્છતા કામદારો માટે સુરક્ષા અને વ્યાવસાયિક ગૌરવની ખાતરી આપવા માટે નાણાકીય સહાય તરીકે ₹2,383.06 કરોડ ફાળવવામાં આવ્યા છે.
SM/BS/JD
(रिलीज़ आईडी: 2271678)
आगंतुक पटल : 28