ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિએ પીઢ ફિલ્મ નિર્માતા ભારતીરાજાના નિધન પર શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 10 JUN 2026 1:41PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણને પીઢ ફિલ્મ નિર્માતા ભારતીરાજાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે.

શ્રી સી.પી. રાધાકૃષ્ણને પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે ભારતીરાજા એક સ્વપ્નદ્રષ્ટા વાર્તાકાર હતા.  જેમણે ગ્રામીણ ભારતના આત્મા અને માનવ લાગણીઓના ઊંડાણને નોંધપાત્ર પ્રમાણિકતા સાથે રૂપેરી પડદે લાવીને તમિલ સિનેમામાં ક્રાંતિ લાવી હતી.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તેમની વિશિષ્ટ સિનેમેટિક ભાષા, યાદગાર પાત્રો અને સદાબહાર ફિલ્મો દ્વારા, ભારતીરાજાએ ભારતીય સિનેમા પર એક અમીટ છાપ છોડી અને ફિલ્મ નિર્માતાઓ અને કલાકારોની પેઢીઓને પ્રેરણા આપી.

તેમણે કહ્યું કે ભારતીરાજાના નિધનથી સિનેમાની દુનિયાને એક અપૂર્ણ નુકસાન થયું છે અને વિશ્વભરના આ મહાન ફિલ્મ નિર્માતાના પરિવાર, મિત્રો, સહકાર્યકરો અને અસંખ્ય ચાહકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2271059) आगंतुक पटल : 20
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Tamil , Telugu , Kannada , Malayalam