રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

વિશ્વકક્ષાની સુવિધાઓથી સજ્જ, રાજસ્થાનના જેસલમેર, બુંદી, બારમેર, માંડલગઢ અને સોમેસર વગેરે જેવા 15 પુનઃવિકાસિત સ્ટેશનો અદ્યતન સુવિધાઓ સાથે મુસાફરોની સેવા કરી રહ્યા છે


2 સાઇડ એન્ટ્રી, વધુ એક પ્લેટફોર્મ, 6 મીટર પહોળા બે ઓવરબ્રિજ અને નવ લિફ્ટ સાથે, ₹112 કરોડના ખર્ચે અલવર રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવી રહ્યો છે

આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે રાજસ્થાનના સ્થાપત્ય વારસાનું મિશ્રણ કરીને, અલવર સ્ટેશનનો પુનઃવિકાસ ઝડપથી આગળ વધી રહ્યો છે: અશ્વિની વૈષ્ણવ

પોસ્ટેડ ઓન: 15 MAY 2026 6:00PM by PIB Ahmedabad

કેન્દ્રીય રેલવે, માહિતી અને પ્રસારણ તેમજ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી ભૂપેન્દર યાદવ, રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્માએ આજે રાજસ્થાનમાં ₹400 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો અને રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. રાજ્ય મંત્રી શ્રી સંજય શર્મા, અન્ય મહાનુભાવો અને વરિષ્ઠ રેલવે અધિકારીઓ સાથે પણ આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યા હતા.

 

રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ ₹112 કરોડના ખર્ચે અલવર રેલવે સ્ટેશન પર પુનઃવિકાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ દિલ્હી-જયપુર રૂટ પર વ્યૂહાત્મક રીતે આવેલું, અલવર સ્ટેશન દરરોજ હજારો મુસાફરોની જરૂરિયાતો પૂરી કરતા એક મુખ્ય હબ તરીકે સેવા આપે છે. મુસાફરોની સતત વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, સ્ટેશનને બહેતર ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ્સ, પૂરતી પાર્કિંગ સુવિધાઓ, વ્યવસ્થિત આગમન અને પ્રસ્થાન વિસ્તારો અને આધુનિક મુસાફરોની સુવિધાઓ સાથે અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે.

 

શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે અલવર રેલવે સ્ટેશન પર પુનઃવિકાસની કામગીરી ઝડપથી આગળ વધી રહી છે અને પૂર્ણ થયા પછી આ સ્ટેશન એક આધુનિક અને સૌંદર્યલક્ષી રીતે ડિઝાઇન કરાયેલી સુવિધા તરીકે ઉભરી આવશે. તેમણે જણાવ્યું હતું કે અલવર સ્ટેશનના પુનઃવિકાસનું આયોજન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિઝનને અનુરૂપ કરવામાં આવ્યું છે કે રેલવે સ્ટેશનોએ શહેરો માટે કનેક્ટર્સ તરીકે કામ કરવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે શહેરી કનેક્ટિવિટી સુધારવા માટે સ્ટેશનની બંને બાજુએ પ્રવેશ સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. સ્ટેશનની ઇમારતો રાજસ્થાનના સાંસ્કૃતિક અને સ્થાપત્ય વારસાને અનુરૂપ બનાવવામાં આવી રહી છે. શ્રી વૈષ્ણવે ઉમેર્યું હતું કે, આધુનિક પ્લેટફોર્મ, ફૂટ ઓવરબ્રિજ, પાર્કિંગની વ્યવસ્થા અને મુસાફરોની અવરજવર માટેની સુવિધાઓ પણ વિકસાવવામાં આવી રહી છે.

 

અલવર સ્ટેશન કા કામ તેજી સે આગે બઢ રહા હૈ। ઇસમેં કઈ સારી સુવિધાએં હોંગી। સેકન્ડ એન્ટ્રી ગેટ, રાજસ્થાન કી સ્થાપત્ય કલા કે હિસાબ સે સ્ટેશન બિલ્ડિંગ, એક્સ્ટ્રા પ્લેટફોર્મ, ફુટ ઓવર બ્રિજ ઓર પાર્કિંગ આદિ કા ધ્યાન રખા ગયા હૈ: માનનીય રેલ મંત્રી @AshwiniVaishnaw જી pic.twitter.com/qHnj62iCHG — Ministry of Railways (@RailMinIndia) May 15, 2026

પુનઃવિકાસ પ્રોજેક્ટ હેઠળ, મુસાફરોને સ્ટેશનના મુખ્ય અને ગૌણ (સેકન્ડરી) બંને પ્રવેશદ્વારો પર બહેતર અને સીમલેસ પ્રવેશ અને નિકાસ વ્યવસ્થાનો લાભ મળશે. આશરે 16,000 ચોરસ મીટરના વિસ્તારમાં વિકસાવવામાં આવી રહેલું નવું સ્ટેશન સંકુલ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મુસાફર-કેન્દ્રીય સુવિધાઓ પ્રદર્શિત કરશે. મુસાફરોની વધુ સુવિધા માટે એક વધારાનું હાઇ-લેવલ પ્લેટફોર્મ, 6-મીટર પહોળાઈના બે ફૂટ ઓવરબ્રિજ અને નવ આધુનિક લિફ્ટ પણ વિકસાવવામાં આવી રહી છે.

મુસાફરોની અવરજવરને સુવ્યવસ્થિત કરવા માટે ખાનગી વાહનો, ટેક્સી અને ઓટો-રિક્ષા માટે સમર્પિત પિક-અપ અને ડ્રોપ-ઓફ ઝોન પણ બનાવવામાં આવી રહ્યા છે. આશરે 4,500 ચોરસ મીટરમાં ફેલાયેલી નવી પાર્કિંગ સુવિધા એક્સેસિબિલિટીમાં વધુ સુધારો કરશે અને સ્ટેશન વિસ્તાર અને તેની આસપાસની ગીચતા ઘટાડશે. આ ઉપરાંત, વાહનોની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે સ્ટેશનના બહારના વિસ્તાર માટે એક વ્યાપક ટ્રાફિક સર્ક્યુલેશન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે.

પુનઃવિકાસ પ્રોજેક્ટમાં વ્યાપારી પ્રવૃત્તિઓ માટે આશરે 1,900 ચોરસ મીટર જગ્યાના વિકાસનો પણ સમાવેશ થાય છે. વિશ્વકક્ષાની મુસાફરોની સુવિધાઓ પૂરી પાડવા ઉપરાંત, આ પ્રોજેક્ટ આ પ્રદેશમાં પ્રવાસન, વેપાર અને રોજગાર માટે ઉભરતા કેન્દ્ર તરીકે અલવરની સ્થિતિને મજબૂત બનાવે તેવી અપેક્ષા છે.

 

રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અલવર વિસ્તારના ત્રણ સ્ટેશનો ગોવિંદ ગઢ, રાજગઢ અને ખેરથલનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. સમગ્ર રાજસ્થાનમાં 85 સ્ટેશનો પર પુનઃવિકાસની કામગીરી ચાલી રહી છે, જેમાંથી અત્યાર સુધીમાં 15 સ્ટેશનો પૂર્ણ થઈ ગયા છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે પૂર્ણ થયેલા સ્ટેશનોમાં બારમેર, બુંદી, દૌસા, ડીગ, દેશનોક, ફતેહપુર શેખાવતી, ગંગાપુર સિટી, ગોગામેડી, ગોવિંદ ગઢ, રાજગઢ, ખેરથલ, જેસલમેર, માંડલગઢ, માંડવર માહવા રોડ અને સોમેસરનો સમાવેશ થાય છે. દેશભરમાં, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ વિકાસ માટે 1,340 સ્ટેશનોની ઓળખ કરવામાં આવી છે.

પૂરે રાજસ્થાન મેં અમૃત ભારત સ્ટેશન યોજના કે તહત 85 સ્ટેશન બનાએ જા રહે હૈં। ઉનમેં સે અબ તક 15 સ્ટેશન બન ચુકે હૈં: માનનીય રેલ મંત્રી @AshwiniVaishnaw જી pic.twitter.com/aIQPvpxxMW — Ministry of Railways (@RailMinIndia) May 15, 2026

શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે રાજસ્થાનમાં હાલમાં પાંચ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો કાર્યરત છે, જ્યારે એક અમૃત ભારત એક્સપ્રેસ પણ શરૂ કરવામાં આવી છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષમાં રાજસ્થાન માટે ઘણી નવી ટ્રેન સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે. આમાં દિલ્હીથી જોધપુર અને દિલ્હીથી બીકાનેરની વંદે ભારત એક્સપ્રેસ સેવાઓ, ઉદયપુર સિટીથી અમદાવાદ વંદે ભારત એક્સપ્રેસ, જેસલમેરને દિલ્હી સાથે જોડતી સ્વર્ણ નગરી એક્સપ્રેસ, હૈદરાબાદ-જોધપુર ભગત કી કોઠી એક્સપ્રેસ અને પુણે-જોધપુર એક્સપ્રેસનો સમાવેશ થાય છે. તેમણે ઉમેર્યું હતું કે તાજેતરના વર્ષોમાં રાજસ્થાન માટે કુલ 46 નવી ટ્રેનો પૂરી પાડવામાં આવી છે, જે સમગ્ર રાજ્યમાં કનેક્ટિવિટી અને મુસાફરોની સુવિધામાં નોંધપાત્ર સુધારો કરે છે.

રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે અગાઉની સરકારો દરમિયાન આશરે ₹682 કરોડની સરખામણીએ વર્તમાન સરકાર હેઠળ રાજસ્થાન માટે રેલવે બજેટની ફાળવણી વધીને ₹10,228 કરોડ થઈ ગઈ છે.

રાજ્યમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વૃદ્ધિ પર પ્રકાશ પાડતા શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે 2014 થી રાજસ્થાનમાં આશરે 3,900 કિલોમીટરના રેલવે ટ્રેક નાખવામાં આવ્યા છે. મારવાડ મુંડવા, ખેમલી, ભુપાલ સાગર, સોનુ, હનવંત, સુંદલક, માંડલગઢ, ન્યુ સાધના, હીરનોદા અને કૈરલા સહિતના સ્થળોએ દસ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલ પહેલેથી જ કાર્યરત કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે જોગી મગરા, લનેલા, ધાનક્યા, કોટા જંક્શન, નવલગઢ અને બિરધવાલ ખાતે વધુ છ કાર્ગો ટર્મિનલ નિર્માણાધીન છે, જ્યારે આઠ વધારાના ટર્મિનલ માટે પણ મંજૂરી આપવામાં આવી છે.

રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય રેલવે સિમેન્ટ અને ટેક્સટાઈલથી લઈને હસ્તકલા, સેમિકન્ડક્ટર્સ અને એન્જિનિયરિંગ ઉત્પાદનો જેવા ક્ષેત્રો માટે દેશભરના બંદરો સાથે સીમલેસ ફ્રેટ (માલસામાન) કનેક્ટિવિટી સુનિશ્ચિત કરીને રાજસ્થાનના ઉદ્યોગોને ટેકો આપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.

 

શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે સમગ્ર રાજસ્થાનમાં રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કેટલાક મોટા પ્રોજેક્ટ્સ એકસાથે આગળ વધી રહ્યા છે. આમાં આગ્રા-બાંદીકુઈ, અજમેર-ચિત્તોડગઢ, બીકાનેર-લાલગઢ, ચુરુ-સાદુલપુર અને લુણી-ભીલડી સેક્શન પર ડબલિંગ (બેવડી લાઇન) ની કામગીરી; ધોલપુર-સિરમથુરા-ગંગાપુર સિટી અને દેવગઢ મદારિયા-નાથદ્વારા સહિતના ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ્સ; મથુરા અને ઝાંસી વચ્ચે ત્રીજી લાઇન; મથુરા અને નાગદા વચ્ચે ત્રીજી અને ચોથી લાઇન; અને નીમચ-બાડી સાદરી તથા પુષ્કર-મેડતા સિટી જેવી નવી લાઇનોનો સમાવેશ થાય છે.

રેલવે મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે રેવાડી-ખાતુવાસ અને રીંગસ-સીકર સેક્શન પર ડબલિંગની કામગીરી પણ આગળ વધી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે શ્યોપુર કલાન-કોટા નવી લાઇન અને તારંગા હિલ-આબુ રોડ નવી લાઇન પ્રોજેક્ટ પણ આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત ઉમરા-દેબારી ડબલિંગની કામગીરી ચાલી રહી છે, જે સુનિશ્ચિત કરે છે કે રેલવે વિકાસ રાજસ્થાનના તમામ પ્રદેશો સુધી પહોંચે.

રાજસ્થાન મેં રેલવે કે બહુત સારે નયે પ્રોજેક્ટ ચલ રહે હૈં: માનનીય રેલ મંત્રી @AshwiniVaishnaw જી pic.twitter.com/HOOm26gTWy — Ministry of Railways (@RailMinIndia) May 15, 2026

શ્રી ભૂપેન્દર યાદવે અલવર ક્ષેત્રમાં રેલવે કનેક્ટિવિટી મજબૂત કરવા બદલ શ્રી અશ્વિની વૈષ્ણવનો આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે મુસાફરોના લાભ માટે ઘણી ટ્રેન સેવાઓ કાં તો શરૂ કરવામાં આવી છે અથવા લંબાવવામાં આવી છે. શ્રી યાદવે જણાવ્યું હતું કે અલવર રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ રાજસ્થાનની ભવ્યતા અને સ્થાપત્ય ઓળખને પ્રતિબિંબિત કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આધુનિકીકરણ પામેલું અલવર સ્ટેશન રાજ્યના શ્રેષ્ઠ રેલવે સ્ટેશનોમાંનું એક તરીકે ઉભરી આવશે. શ્રી યાદવે આ પ્રદેશમાં રેલવે ઓવરબ્રિજ અને અંડરપાસના અસંખ્ય પ્રોજેક્ટ્સ મંજૂર કરવા અને પૂર્ણ કરવા બદલ રેલવે મંત્રાલયનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ કનેક્ટિવિટીમાં સુધારો કરીને અને પરિવહનને સરળ બનાવીને ખેરથલ, કિશનગઢ બાસ, બહેરોર અને આસપાસના વિસ્તારોના લોકોને ઘણો ફાયદો પહોંચાડશે.

શ્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે રાજસ્થાન દિલ્હી સાથેની તેની નિકટતાનો લાભ મેળવી રહ્યું છે, જે રાજ્યમાં ઔદ્યોગિક અને પરિવહન કનેક્ટિવિટી મજબૂત કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે ભિવાડી, નીમરાણા અને ખુશ્ખેડા જેવા ઔદ્યોગિક કેન્દ્રો બહેતર રેલવે અને પરિવહન ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા જોડવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે આ પ્રદેશ માટે બે મોટા રેલ કનેક્ટિવિટી કોરિડોરનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં અલવર તરફ એક રેલવે લાઇન અને બહેરોર તરફ એક RRTS કોરિડોર સામેલ છે. તેમણે ઉમેર્યું હતું કે આ પ્રોજેક્ટ્સ પરંપરાગત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ્સ (RRTS) બંને સાથે સંકલન સુધારશે, અને રાજ્ય સરકાર તેમના ઝડપી અમલીકરણ માટે પ્રતિબદ્ધ છે.

ભારતીય રેલવે પ્રગતિ, વિશ્વાસ અને વિકસિત ન્યુ ઇન્ડિયાના પ્રતીક તરીકે આગળ વધી રહી છે. દરેક મુસાફરો માટે સલામત, અનુકૂળ અને આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવા માટે તે મુસાફરોની સુવિધાઓને મજબૂત કરવા માટે સતત કામ કરી રહી છે.

https://www.youtube.com/live/JqXV_drs-

IJ/JY/JD


(રીલીઝ આઈડી: 2261579) મુલાકાતી સંખ્યા : 12
આ રીલીઝ વાંચો: English , Urdu , हिन्दी , Tamil , Kannada