પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શક્તિ અને સામર્થ્યના સંવાદ પર ભાર મૂકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
પ્રધાનમંત્રીએ 1998ના પરમાણુ પરીક્ષણોને આપણા રાષ્ટ્રના સંકલ્પમાં નિર્ણાયક ક્ષણ તરીકે યાદ કર્યા
પોસ્ટેડ ઓન:
13 MAY 2026 10:44AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે મે 1998માં પોખરણમાં ભારત દ્વારા કરવામાં આવેલા ઐતિહાસિક પરમાણુ પરીક્ષણોને યાદ કર્યા હતા અને તેને આપણા રાષ્ટ્રના સંકલ્પની એક નિર્ણાયક ક્ષણ ગણાવી હતી. શ્રી મોદીએ ટિપ્પણી કરી હતી કે, “11 મેના પરીક્ષણો પછી, આખા વિશ્વએ ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અમે સાબિત કરી દીધું કે કોઈ પણ શક્તિ ભારતને નમાવી શકતી નથી”.
પ્રધાનમંત્રીએ એક સંસ્કૃત શ્લોક શેર કર્યો-
“एवं परस्परापेक्षा शक्तिशक्तिमतोः स्थिता ।
न शिवेन विना शक्तिर्न शक्त्या विना शिवः।।”
પ્રધાનમંત્રીએ X પર લખ્યું;
"1998માં આજના દિવસે ભારત દ્વારા કરવામાં આવેલા પરમાણુ પરીક્ષણોએ દુનિયાને બતાવ્યું કે આપણા રાષ્ટ્રનો સંકલ્પ કેટલો અડગ છે! 11 મેના પરીક્ષણો પછી, ભારત પર વૈશ્વિક દબાણનો સામનો કરવો પડ્યો, પરંતુ અમે દર્શાવ્યું કે કોઈ પણ શક્તિ ભારતને ઝુકાવી કરી શકતી નથી.
एवं परस्परापेक्षा शक्तिशक्तिमतोः स्थिता ।
न शिवेन विना शक्तिर्न शक्त्या विना शिवः।।”
SM/BS/GP/JT
`
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2260491)
મુલાકાતી સંખ્યા : 14
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam