પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ વડોદરા જતી વખતે લીધેલી સોમનાથ મંદિરની તસવીર શેર કરી

પોસ્ટેડ ઓન: 11 MAY 2026 5:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સોમનાથથી વડોદરા જતી વખતે લીધેલી સોમનાથ મંદિરની તસવીર શેર કરી હતી.

પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે પ્રભાસ પાટણના કિનારે, સોમનાથ મંદિર ભક્તિ, ઇતિહાસ અને સભ્યતાની ભાવનાના તેજસ્વી પ્રતીક તરીકે અડગ ઊભું છે. શ્રી મોદીએ હાઇલાઇટ કર્યું હતું કે આ સનાતન મંદિરે બર્બર હુમલાઓ, આક્રમણો અને સદીઓ વીતી ગયા બાદ પણ અડગ રહ્યું છે.

પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સોમનાથ દરેક ભારતીયને શક્તિ, સાહસ અને આશા આપે છે.

X પર શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં, પ્રધાનમંત્રીએ લખ્યું:

"સોમનાથથી વડોદરા જતી વખતે આ તસવીર લીધી છે... પ્રભાસ પાટણના કિનારે, સોમનાથ મંદિર ભક્તિ, ઇતિહાસ અને સભ્યતાની ભાવનાના તેજસ્વી પ્રતીક તરીકે અડગ ઊભું છે. તેણે બર્બર હુમલાઓ, આક્રમણો અને સદીઓના સમયગાળાને માત આપી છે. તે સનાતન છે. સોમનાથ દરેક ભારતીયને શક્તિ, સાહસ અને આશા આપે છે. હર હર મહાદેવ!"

 

"સોમનાથથી વડોદરા જતા સમયે આ તસવીર લીધી છે... પ્રભાસ પાટણના તટ પર સોમનાથ મંદિર શ્રદ્ધા, ભક્તિ અને ભારતની સનાતન સંસ્કૃતિના દિવ્ય પ્રતીક બનીને આજે પણ અડગ ઊભું છે. આ પાવન મંદિરે બર્બર આક્રમણો, વિદેશી હુમલાઓ અને સદીઓના પડકારજનક કાળખંડને પાર કરીને પોતાની અમર ચેતનાને અક્ષુણ્ણ રાખી છે. સોમનાથ દરેક ભારતીય માટે શક્તિ, સાહસ અને આશાનું પ્રતીક છે. હર હર મહાદેવ!"

 

SM/DK/JD


(રીલીઝ આઈડી: 2259915) મુલાકાતી સંખ્યા : 22