પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ યુએઈ (UAE) પર થયેલા હુમલાની નિંદા કરી, શાંતિ અને પ્રાદેશિક સ્થિરતા માટે સમર્થનનો પુનરોચ્ચાર કર્યો

પોસ્ટેડ ઓન: 05 MAY 2026 1:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ યુએઈ પર થયેલા હુમલાઓની સખત શબ્દોમાં નિંદા કરી છે, જેમાં ત્રણ ભારતીય નાગરિકોને ઈજા થઈ છે.

તેમણે કહ્યું કે નાગરિકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવું અસ્વીકાર્ય છે.

શ્રી મોદીએ કહ્યું કે ભારત યુએઈની સાથે મજબૂત રીતે ઉભું છે અને વાતચીત અને રાજદ્વારી દ્વારા તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટે તેમના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સુરક્ષિત અને અવરોધ વિનાનું નેવિગેશન સુનિશ્ચિત કરવું એ કાયમી પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે.

એક X પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું;

“યુએઈ પર થયેલા હુમલાઓની સખત નિંદા કરું છું જેના પરિણામે ત્રણ ભારતીય નાગરિકોને ઈજા થઈ છે. નાગરિકો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવું અસ્વીકાર્ય છે.

ભારત યુએઈ સાથે મજબૂત રીતે ઊભું છે અને સંવાદ અને મુત્સદ્દીગીરી દ્વારા તમામ મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટે તેના સમર્થનનો પુનરોચ્ચાર કરે છે.

હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સુરક્ષિત અને અવરોધ વિનાનું નેવિગેશન સુનિશ્ચિત કરવું એ કાયમી પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને વૈશ્વિક ઉર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વનું છે.”

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2257985) મુલાકાતી સંખ્યા : 24